________________
૨૮૨
જ્ઞાનપદ ભજીએ રે
સુવર્ણ ઉત્પન્ન થાય. આ બે વિદ્યાને બરાબર ગ્રહણ કરીને સૂરિ જેવામાં આગળ વાંચવા જાય છે, તેવામાં શાસનદેવતાએ તે પુસ્તક અને તે પાનું તેમની પાસેથી લઈ લીધું, તથા પુસ્તકનો સ્તંભ પણ પ્રથમની જેવો જ મજબુત બંધ થઈ ગયો. તે વખતે આકાશવાણી થઈ કે. “આવા પ્રકારનાં પૂર્વમાં રહેલાં રહસ્યોને તમે લાયક નથી માટે ચપળતા પ્રયત્નો કરશો નહીં, અન્યથા જીવિતનો સંશય થશે.” તે સાંભળીને સૂરિ ભયને લીધે તેથી વિરમ્યા.
ત્યારપછી સૂરિ વિહારના ક્રમે અપૂર્વ એવા પૂર્વ દેશની પૃથ્વીના નૂપુરસમાન “કર્માપુર” નામના નગરમાં ગયા. ત્યાં “દેવપાલ” નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સૂરિએ અમૃતતુલ્ય સુંદર દેશના : વડે પ્રતિબોધ પમાડીને પરમ શ્રાવક બનાવ્યો. એકદા સીમાડાના રાજાઓ ભેળા થઈને તેનું રાજ્ય લેવા આવ્યા, તે જોઈને ચિત્તમાં ભય પામેલા દેવપાલ રાજાએ ગુરુ પાસે આવી સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળી સૂરિએ વિચાર્યું કે- “આ રાજા હજુ હમણાં જ ધર્મ પામ્યો છે, તેની પાસે સૈન્ય તથા દ્રવ્ય ઘણું અલ્ય છે. તથા અત્યારે અત્યંત દીનતાને પામ્યો છે, તેથી આને ધર્મમાં સ્થિર કરવા માટે સહાય કરવી યોગ્ય છે.” એમ વિચારીને કાર્યના જાણ એવા સૂરિએ સુવર્ણસિદ્ધિના યોગથી અગણ સુવર્ણ બનાવી આપી, સર્ષપ વિદ્યાથી ઘોડેસવારો ઉત્પન કરી દઈ, શત્રુઓને ત્રાસ પમાડ્યો; તેથી અત્યંત પ્રસન્ન થઈને દેવપાલ રાજાએ શત્રુઓનું સર્વસ્વ લુંટી લઈ પોતાના જયનો ડંકો વગડાવ્યો. “અહો! મહાત્માની કૃપાનું ફળ નિઃસીમ છે.” ત્યારપછી તે રાજા સૂરિનો અનન્ય ભક્ત થયો, અને તેમને ઘણા આગ્રહપૂર્વક ચિરકાળ સુધી પોતાના નગરમાં જ રાખ્યા. ત્યાં સૂરિમહારાજ રાજા વિગેરેના આગ્રહથી હંમેશા સુખાસનમાં બેસી નાના પ્રકારની બિરદાવલી બોલનારા બંદિજનો વડે સ્તુતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org