________________
જ્ઞાનપદ ભજીએ રે
તે સિદ્ધસેને વિદ્યાના ગર્વથી “જે મને વાદમાં જીતે તેનો હું શિષ્ય થાઉં” એવી પ્રતિજ્ઞા કરી હતી. તેણે એકદા વૃદ્ધવાદીની કીર્તિ સાંભળી, તે નહીં સહન થવાથી સુખાસનમાં બેસી તેની સન્મુખ ચાલ્યો. તે સમયે વૃદ્ધવાદીએ ભૃગુકચ્છથી વિહાર કર્યો હતો, તેથી તેઓ માર્ગમાં જ મળ્યા. પરસ્પર સંભાષણ થવાથી એકબીજાની ઓળખાણ પડી. પછી સિદ્ધસેને કહ્યું કે- “વાદ આપો.’’ સૂરિ બોલ્યા કે- “ભલે, પરંતુ અત્રે ભાગ્યયોગે મળી શકે તેવા સભ્યો (મધ્યસ્થો) નથી. તેમના વિના જયપરાજયની વ્યવસ્થા શી રીતે થાય ?'' તે સાંભળીને વાદમાં ઉત્કંઠિત થયેલા સિદ્ધસેને કહ્યું કે—“આ ગોવાળો જ આપણા સભ્યો થાઓ.’’ ગુરુએ તેનું વચન સ્વીકાર્યું, અને ગોવાળોને પાસે બોલાવ્યા. પછી ગુરુએ તેને કહ્યું કે- “પ્રથમ તમે સ્વેચ્છાએ વાદ કરો.’’ ત્યારે તે સિદ્ધસેને હર્ષ પામીને ઊંચા સ્વરથી ચિરકાલ સુધી ન્યાયશાસ્ત્ર અને વ્યાકરણશાસ્ત્ર વિગેરેના વિષય પર સંસ્કૃત ભાષામાં ઉપરાઉપરી (કોટી) કર્યા. અનુક્રમે તેનો વાદ પૂરો થયો, ત્યારે ગોવાળ બોલ્યા કે“આ તો કંઈ પણ જાણતો હોય એમ લાગતું નથી. કેવળ ઊંચે સ્વરે પોકાર કરીને કઠોર વાણી વડે કર્ણને પીડા કરે છે. માટે હે વૃદ્ધ! તમે કાંઈક બોલો.'' ત્યારે બન્ને પ્રકારે સમયને જાણનારા વૃદ્ધવાદી થીંદણી જાતિના છંદ વડે નૃત્યને નિમિત્તે ઊંચા તાલ લેવા પૂર્વક બોલ્યા કે
૨૦૮
नवि मारिए नवि चोरिए, परदारागमण निवारिए । थोवा थोवं दाइए, सग्गिं टगिटगि जाइए ॥१॥
અર્થ– કોઈની હિંસા કરીએ નહી, કોઈનું કાંઈ પણ ચોરીએ નહીં, પરસ્ત્રીગમન કરીએ નહીં અને થોડામાંથી પણ થોડું દાન દઈએ, એટલે ધીમે ધીમે સ્વર્ગે જઈએ.
૧. સમય એટલે સિદ્ધાંત અને સમય એટલે વખત (અવસર).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org