________________
શ્રી સિદ્ધસેન દીવાકરનું દૃષ્ટાંત
૨૭૭
(રામચંદ્ર)ના પરાક્રમની સ્મૃતિ કરાવવામાં ચતુર એવો તમારો દક્ષિણ હાથ સમુદ્ર છે, આ તમારી પાસે રહેનારી વાહિનીઓ એક ક્ષણવાર પણ તમારા સમીપપણાને મૂકતી નથી, તથા તમારે સ્વચ્છ (નિર્મળ) માનસ છે. તો પણ તમને પાણી પીવાની કેમ અભિલાષા થઈ?' આ પ્રમાણે સાંભળીને રાજાએ આઠ કરોડ સોનામહોરો, ત્રાણું તુલા, (મણ) મોતી, મદના ગંધમાં લુબ્ધ થયેલા ભમરાઓથી ઉદ્ધત થયેલા પચાસ હાથીઓ, લાવણ્યાની વૃદ્ધિથી દૃષ્ટિના વિસ્તારવાળી એકસો વારાંગનાઓ (સ્ત્રીઓ), આટલું દાન કે જે પાંડય રાજાએ વિક્રમ રાજાને દંડમાં આપ્યું હતું તે સર્વ તે ભાટને આપી દીધું. આ વિગેરે અને તે વિક્રમ રાજાનાં દાનકૃત્યો પ્રસિદ્ધ છે.
તે વિક્રમ રાજાના રાજ્યમાં માનનું પાત્ર અને કાત્યાયન ગોત્રનો અલંકાર “દેવર્ષિ નામે બ્રાહ્મણ રહેતો હતો. તેને ‘‘દેવશ્રી’’ નામની પત્ની હતી. તેમને “સિદ્ધસેન’” નામનો પુત્ર હતો. તે બુદ્ધિનો ભંડાર હોવાથી આખા જગતને તૃણ સમાન ગણતો હતો. કેમકે મિથ્યાત્વીઓને ગર્વ પ્રકૃતિથી જ સિદ્ધ હોય છે કહ્યું છે કે
वृश्चिको विषमात्रेणाप्यूर्ध्वं वहति कंटकम् । विषभारसहस्त्रेऽपि वासुकिनैव गर्वितः ॥१ ॥
અર્થ-વીંછી અલ્પ વિષે કરીને પણ પોતાના કાંટાને ઊંચો જ રાખે છે. અને વાસુકી નાગ હજાર ભાર વિષને ધારણ કરે છે, તો પણ ગર્વિષ્ઠ થતો નથી. ૧
૨. સમુદ્ર એટલે દરિયો-હાથ પક્ષે મુદ્રા-વીંટી સહિત. ૩. નદી- બીજા પક્ષે સેના. ૪. માનસ નામનું સરોવર-બીજા પક્ષે મન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org