________________
૨૪૧
બીજો વિનયાચાર વિનય એટલે-ગુરુ, જ્ઞાનવાન, જ્ઞાનના અભ્યાસી, જ્ઞાન, જ્ઞાનનાં ઉપકરણ (પુસ્તક, પાટું, કાગળ, પાટી, કવળી, ઠવણી, સાપડો, ઓળિયું, ટીપણું તથા દફતર) એ વિગેરેની સર્વ પ્રકારની આશાતનાનો ત્યાગ કરવો તથા તેમની ભક્તિ વિગેરે યથાયોગ્ય કરવી તે. આશાતનાના ભેદો શ્રાદ્ધવિધિની વૃત્તિથી જાણવા. અને ગુરુનો તથા જ્ઞાનવાનો વિનય-પ્રગટપણે ઉભું થવું, આસન આપવું, શય્યા કરી આપવી, હાથમાંથી દાંડો લઈ લેવો, પગ ધોવા, પગચંપી કરવી, વંદના કરવી, આજ્ઞા પ્રમાણે વર્તવું તથા શુશ્રુષા (સેવા) કરવી - વિગેરે જાણવો. તે વિષે આગમમાં કહ્યું છે કે - “ઊભા થવું, હાથ જોડવા, આસન આપવું, ભક્તિ કરવી, એ રીતે ભાવ શુશ્રષા વિનય કહેલો છે.” તથા - “ગુરુથી નીચી પોતાની શધ્યા કરવી, તથા ગમન, સ્થિતિ અને આસન પણ ગુરુથી નીચાં જ રાખવાં, શરીરને નમાવી ગુરુપાદની વંદના કરવી, તથા નીચા વળીને હાથ જોડવા.” ભાવ શુશ્રુષા એટલે ગુરુના આદેશને 'સાંભળવાની ઈચ્છા અથવા ગુરુની સેવા. એ પ્રમાણે શ્રી ઉત્તરાધ્યયનની વૃત્તિમાં તેની વ્યાખ્યા કરી છે. અને દશવૈકાલિક વૃત્તિમાં તો શુશ્રુષાવિનય દશ પ્રકારનો પ્રાકૃત ગાથા વડે વર્ણવ્યો છે.- “ સત્કાર કરવો ૧, અભુત્થાન એટલે ઊભા થવું ૨, સન્માન-માન આપવું ૩, આસનાભિગ્રહ-આસન દેવવનું કહેવું ને દેવું ૪, આસનાનુપ્રદાન-અન્યત્ર લઈ જઈને આસન પાથરી આપવું ૫, કૃતિકર્મ-વંદના કરવી ૬, અંજલિગ્રહ - બે હાથ જોડવા ૭, ઈગિત અનુસરણ તેમના મનનો અભિપ્રાય જાણીને તે પ્રમાણે વર્તવું ૮, ગુરુ બેઠા હોય ત્યારે તેમની સેવા કરવી ૯, તથા ચાલતા હોય ત્યારે તેમની પાછળ ચાલવું ૧૦. આ દશ પ્રકારનો શુશ્રુષાવિનય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org