________________
૨૪૦
જ્ઞાનપદ ભજીએ રે આગમના અભ્યાસીને, લોચ કરેલાને તથા ઉત્તરપારણાવાળાને આપેલું દાન અત્યંત ફળદાયક થાય છે. યોગ્ય સમયે આપેલા દાનની કિંમત કરવાને કોઈપણ શક્તિમાન નથી અને તે જ દાન અયોગ્ય વખતે આપીએ તો તે ગ્રાહ્ય પણ થતું નથી. કોઈ સ્ત્રીને પુરુષ કહે છે કે“હે સુંદરી! એક અંજલિ (ચુલ્લક) પ્રમાણ પણ જળ અવસરે આપ્યું હોય તો મૂર્ણ પામેલો માણસ જીવે છે, પરંતુ મરી ગયા પછી સેક્તો ઘડા પાણી તેના પર નાંખવાથી કાંઈ ફળ થતું નથી.”
વળી ખેતી, વેપાર અને સેવા વિગેરે પણ અવસરે જ કર્યા હોય તો તે બહુ ફળદાયક થાય છે, અકાળે કરવાથી તેનું ફળ મળતું નથી. કહ્યું છે કે, “જેમ સમયે કરેલું ખેતીકર્મ બહુ ફળવાળું થાય છે. તે જ પ્રમાણે સર્વ ક્રિયાઓ પોતપોતાને કાળે જ કરવી યોગ્ય છે.” વળી મંત્ર વિદ્યા વિગેરેનું સાધન પણ કહેતે સમયે જ કરવાથી સિદ્ધ થાય છે, અન્યથા તે સાધન અનર્થનો હેતુ થાય છે. તેથી કરીને અવસરે જ સ્વાધ્યાય કરવો, પણ અકાળે ન કરવો.
આ સ્થળે છાશ વેચનારીનું દૃષ્ટાંત આ પ્રમાણે છે. “મથુરા નગરીમાં કોઈ એક સાધુ પ્રદોષ સંબંધી કાળને વિષે સ્વાધ્યાયની પોરસી પૂરી થયા છતાં પણ અનુપયોગને લીધે કાલિક કૃત ભણતા હતા તે જોઈને “આ સાધુને કોઈ દુષ્ટ દેવતા ન છળો” એમ વિચારીને શાસન દેવતા તેને બોધ કરવા માટે છાશનો ઘડો માથે લઈને આભીરી રૂપે તેની પાસે છાશ વેચવા નીકળી અને “છાશ
લ્યો છાશ’ એમ મોટે સ્વરે બોલતી વારંવાર ગમનાગમન કરવા લાગી. તેથી તે સાધુને સ્વાધ્યાયમાં વિદ્ધ થવાથી તેણે કહ્યું કે- “શું આ છાશ વેચવાનો સમય છે?” ત્યારે તે આભારી પણ બોલી કે
ત્યારે શું તમારે પણ આ સ્વાધ્યાય કરવાનો સમય છે?” તે સાંભળીને સાધુને ઉપયોગ આવ્યો, તેથી તેણે મિથ્યાદુકૃત આપ્યું.
// ઈતિ પ્રથમ: કાલાચાર: //
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org