________________
૨૩૮
જ્ઞાનપદ ભજીએ રે
કહ્યું નથી; કેમકે સ્વાધ્યાય પરમતત્ત્વરૂપ હોવાથી દુષ્ટ સમયે તેનો નિષેધ કરેલો છે. કહ્યું છે કે-‘સંધ્યાકાળે આહાર, મૈથુન, નિદ્રા અને સ્વાધ્યાય એ ચાર કર્મને વિશેષે કરીને વર્જવા; કેમકે સંધ્યાકાળે આહાર કરવાથી વ્યાધિ ઉત્પન્ન થાય છે, મૈથુન કરવાથી દુષ્ટ ગર્ભ ઉત્પન્ન થાય છે, નિદ્રા કરવાથી ધનનો નાશ થાય છે અને સ્વાધ્યાય કરવાથી લોકમાં “અહો ! આ જૈનો પોતાનું સર્વજ્ઞપુત્રપણું પ્રસિદ્ધ કરે છે, પરંતુ સંધ્યાસમયે સ્વાધ્યાયનો નિષેધ છે, એટલું પણ જાણતા નથી.'' એ રીતે નિંદા થાય છે, વળી સંધ્યા સમયે જો સ્વાધ્યાયમાં જ તત્પર રહે, તો સાધુને પ્રતિક્રમણાદિક આવશ્યક ક્રિયામાં અને શ્રાવકોને દેવપૂજા, પ્રતિક્રમણ વિગેરેમાં ઉપયોગ રહે નહીં. અને જો તે વખતે સ્વાધ્યાય કરવાનો ન હોય, તો તે આવશ્યક ક્રિયામાં ઉપયોગ રહે, તથા નિરંતર સ્વાધ્યાય કરવાથી ખેદ પામેલાને વિશ્રાંતિ પણ મળે, તેથી કરીને શ્રુતપાઠાદિક કહેલે કાળે જ કરવા યુક્ત છે. કદાચ કોઈ વિશેષ કારણને લીધે કાળનો અતિક્રમ થાય, તો તેમાં દોષ નથી તે પ્રમાણે નિશીથ સૂત્રાદિકમાં અનુજ્ઞા આપેલી છે.
અહીં કોઈને શંકા થાય કે- “જેમ શુભ ધ્યાન મોક્ષનું કારણ હોવાથી સર્વકાળે કરવાનું કહ્યું છે, તેમ શ્રુતજ્ઞાન પણ મોક્ષનું કારણ હોવાથી સર્વકાળે સ્વાધ્યાય કેમ ન કરાય ? કેમકે જે મોક્ષનું કારણ છે, તેનો કાળ કે અકાળ કાંઈ પણ નથી.” ગુરુ તેનો ઉત્તર આપે છે કે— “હે ભદ્ર ! તારી શંકા સાચી છે. પરંતુ જે શુદ્ધ ધ્યાન છે, તે સર્વ ક્રિયામાં રહેલું છે, અને તે માનસિક છે, તેથી તેના વડે કોઈપણ ધર્મક્રિયાને બાધ થતો નથી; પણ ઊલટી સર્વે ક્રિયાઓને પુષ્ટિ મળે છે. તેથી શુભધ્યાનનું સર્વકાળે કરવાપણું ઘટે છે. અને શ્રુતજ્ઞાન તો ભણવા-ગણવા વિગેરે વડે સાધ્ય છે, માટે બે સંધ્યાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org