________________
૨૩૭
પહેલા કાળાચારનું સ્વરૂપ ઉત્તરાધ્યયન, આચારાંગ વિગેરે સૂત્રો દિવસ અને રાત્રિની પહેલી તથા ચોથી પોરસીને વિષે જ ભણવા ગણવાના છે. તથા ઉત્કાલિક એટલે દશવૈકાલિક, દૃષ્ટિવાદ વિગેરે સૂત્રો તો સર્વ પોરસીમાં ભણવા ગણવા લાયક છે. હવે કાલિક તથા ઉત્કાલિક એ બને પ્રકારના સૂત્રોના અસ્વાધ્યાયનો (અસઝાયનો) કાળ નાની બબે ઘડીનો છે. તેથી રાત્રિ અને દિવસની ચાર કાળ વેળાઓનો (ભણવા ગણવામાં) દરરોજ ત્યાગ કરવો.
શ્રી આચાર પ્રદીપ ગ્રંથની અંદર મુનિરાજને સૂત્રો ભણવા માટે આગમમાં કહેલો કાળ બતાવીને પછી અકાળ અહંકારાદિક વડે ભણવા ગણવાથી આજ્ઞાભંગ, જ્ઞાનાચારની વિરાધના વિગેરે દોષો લગાવવાથી પ્રાયશ્ચિત લેવાનું કહ્યું છે, તેમજ અકાળે સ્વાધ્યાય કરવાથી પ્રમાપણાને લીધે દુષ્ટ દેવતા પણ તેને છળે છે, વિગેરે કહ્યું છે. તે બાબત નિશીથ ભાષ્યમાં આ પ્રમાણે કહ્યું છે કે- “પહેલી અને છેલ્લી સંધ્યા સમયે, મધ્યાહ્ન સમયે અને અર્ધરાત્રિ સમયે એ ચાર સંધ્યાઓ વખતે જે મનુષ્ય સ્વાધ્યાય કરે છે, તેણે આજ્ઞાદિકની વિરાધના કરી છે એમ જાણવું.”વળી તે સંધ્યાઓમાં સ્વાધ્યાય કરવાથી લોકમાં પણ નિંદા થાય છે, કેમ કે લૌકિક શાસ્ત્રોમાં પણ સંધ્યા સમયે સ્વાધ્યાય કરવાનો નિષેધ કર્યો છે.) તથા સંસ્થાને વિષે ગુહ્યક-વ્યંતરો વિગેરે ફરે છે. સંધ્યા વખતે સ્વાધ્યાય નહિ કરવાથી આવશ્યકનો ઉપયોગ થઈ શકે છે. (પ્રતિક્રમણ કરી શકે છે.) તથા સ્વાધ્યાય કરવાથી થાકી ગયેલાને એટલો વખત વિશ્રાંતિ પણ મળે છે. જોકે શ્રુતનો ઉપયોગ (ભણવું ગણવું) તથા તપ-ઉપધાન અત્યંત શ્રેષ્ઠ કહેલા છે, તો પણ નિષેધ કરેલા કાળે કરવાથી તે કર્મબંધને માટે થાય છે.
લૌકિક શાસ્ત્રમાં પણ કાળવેળાએ સંધ્યાવંદન, વૈશ્વદેવ, તર્પણ, હોમ વિગેરે શાંતિકર્મ કરવાનું જ કહ્યું છે, પણ સ્વાધ્યાય કરવાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org