________________
૧૨
જ્ઞાનપદ ભજીએ રે અભિમાન તે પણ દૂર રહે છે.
જેમ કે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ જ્ઞાની હતા. તેઓમાં જ્ઞાનદાનની તત્પરતા કેવી હતી. જેસલમેરના શ્રાવકો ઉપરના પત્રમાં તેઓ લખે છે કે :
जो कोइ मतनिरपेक्ष थोडे पण क्षयोपशमे वर्ते महाशास्त्रारो अभ्यास करवा चाहे तेहने में सिद्धान्त शास्त्ररो दान द्यां ।'
तिणसुं मारे एकान्त स्नेह हे ते प्रीछजो..
અર્થ : “જો કોઈ મતાગ્રહી ન હોય તેવો – (પોતાના મત માટે નિરાગ્રહી) ભલે તેનો થોડો જ ક્ષયોપશમ હોય તો પણ જો તે મહાશાસ્ત્રનો અભ્યાસ કરવાને ઇચ્છતો હોય તો તેને હું સિદ્ધાન્તશાત્ર શીખવીશ, તેને તેનું દાન દઇશ. તેવા પ્રત્યે મને એકાત્ત સ્નેહ છે તે જાણજો.”
એટલે કે જ્ઞાન માટે જે જિજ્ઞાસુ હોય તેને માટે બધું જ કરી છૂટવું જોઈએ.
અમારા પૂજ્ય શાસનસમ્રાટુ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ માટે એવું કહેવાય છે કે બહાર વિચરતાં કોઈ પણ સાધુ મહારાજે કોઈ પણ પુસ્તક–ગ્રંથ મંગાવ્યો હોય તો ઘડીનો પણ વિલંબ કર્યા વિના તેઓશ્રી એ પુસ્તક/ગ્રન્થ મોકલાવી આપતા. જ્ઞાનમાં અને ઔષધદાનમાં પળનો પણ વિલંબ ન કરવો. કામળીકપડાં હોરાવવામાં થોડું મોડું ચાલે પણ આ બેમાં વિલંબ ન ચાલે.
જ્ઞાન પ્રત્યેના બહુમાનની એટલી સુંદર સુંદર વાતો શ્રમણ સંઘના ઈતિહાસમાં મળે છે કે જે જાણીને આપણું હૃદય અહોભાવથી ભરાઈ જાય અને મસ્તક તેમનાં ચરણોમાં ઝૂકી જાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org