________________
જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૧)
૧૧ ત્યાં એક જ્ઞાનપ્રેમી વ્યક્તિ થઈ. તેમનું નામ મનસુખભાઈ હતું. તેમના એવા બે મિત્રો પણ હતા. તે બધાંને જ્ઞાન પ્રત્યે જિગરનો પ્રેમ હતો. સાવ સૂકા ભઠ જેવા કચ્છ પ્રદેશમાં તેમણે જ્ઞાનની સરવાણી વહાવી. સંસ્કૃત-પ્રાકૃત ભણવા માટે એક મંડળી ઊભી કરી. ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ભણનારાં ત્યાં આવીને ભણવા લાગ્યાં. જ્ઞાનમંદિર શબ્દશઃ પહેલીવાર ત્યાં જ જોવા મળ્યું. જેમ પ્રભુજીનું મંદિર હોય છે, તેવું જ જ્ઞાનનું મંદિર ઘુમ્મટ-શિખર સાથેનું મંદિર બનાવ્યું છે. તેમાં ગર્ભગૃહ. તેમાં પબાસણ અને તેના ઉપર મુખ્ય સ્થાને મોટો સાપડો અને તેમાં આગમગ્ર ન્ય પધરાવવામાં આવે. પ્રત્યેક વિદ્યાથી ગામના પ્રભુચૈત્યમાં દર્શન વંદન કરીને ત્યાં જ્ઞાનમંદિર આવે અને ત્યાં જ્ઞાનને ખમાસમણ દઈને જ્ઞાનનું ચૈત્યવંદન કરે – મતિજ્ઞાન વચ્ચે પાંચ જ્ઞાનનો કાઉસ્સગ્ન કરી ખમાસણા દઈને ભણવા બેસે આવી પ્રણાલિકા ત્યાં ઉભી કરી.
પંડિત લાલન, શિવજીભાઈ મઢડાવાળા વગેરે પ્રસિદ્ધ પંડિતો કોડાય પાઠશાળાની નીપજ છે. તેમની પાત્રતામાં ઊણપ હતી. તેથી તેમણે જ્ઞાનને શોભાવ્યું નહીં તે વાત જુદી છે. પણ બીજા કેટલાકમાં તો એટલે સુધીનું પાંડિત્ય ત્યાંના વિદ્યાર્થીમાં ઝળકતું હતું કે સંસ્કૃતપ્રાકૃતમાં તેઓએ ગ્રન્થ રચ્યા છે. ત્યાંનો જ્ઞાનભંડાર પણ ઊંચા ગ્રન્થોથી ભરેલો હતો. આપણે ત્યાં જે નિરામ અન્યોની વાત આવે છે એ ગ્રન્થો એ કોડાયના ભંડારમાંથી મળ્યા હતા.
અમે જાતે વિ.સં. ૨૦૪૭માં ત્યાંનું જ્ઞાનમંદિર અને પાઠશાળા તથા જ્ઞાનભંડાર જોયાં છે. જો કે ત્યારે મકાનો જ જોવા મળ્યાં હતાં.
જ્ઞાન લાવવા માટે જ્ઞાન પ્રત્યે બહુમાન પણ જોઇશે. જ્ઞાનમાં સહાયતા કરવાની તત્પરતા પણ કેળવવી જોઈએ. તેનાથી હોય તે જ્ઞાન વધે છે. નવું આવે છે અને જ્ઞાનની સાથે આવતું દૂષણ–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org