________________
૨૧૮
જ્ઞાનપદ ભજીએ રે સાયંકાળે તેને ફરીથી ભોજન કરાવીને તાંબૂલાદિક આપ્યાં. તે વખતે પણ તે નારકીની જેમ પેટની વ્યથાદિક દુઃખને સ્પષ્ટ રીતે ભોગવવા લાગ્યો. તે વ્યાધિનો રાજાએ ઉપચાર કરાવ્યો ત્યારે અતિસાર (ઝાડા)ના વ્યાધિથી તે અત્યંત પીડાયો, અને તે અતિસારનો ઉપચાર કરાવ્યો ત્યારે તત્કાળ મૃત્યુને સૂચન કરનાર વિભૂચિકા નામના વ્યાધિ વડે પીડાવા લાગ્યો. આ પ્રમાણે રાજાએ ઉત્તમ યત્ન કર્યા છતાં પણ તે રક્ત, અતિસાર, તીવ્રજ્વર, પિત્ત, કફ અને વાત વિગેરેના વ્યાધિથી પીળ્યો, પણ દૈવથી હણાયેલો તે જરા પણ સુખ પામ્યો નહીં. પ્રતે જડ બુદ્ધિવાળાને ગુરુ મહારાજની જેમ રાજાએ તેને કોઈ પણ પ્રકારે વિવિધ પ્રકારના દુષ્કર ઉપાયો વડે સાજો થયેલો કર્યો. ‘ઉદ્યમ વડે શું ન થાય? પૃથ્વીપાલ રાજા તેને સાજો થયેલો જોઈ અત્યંત ખુશી થયો. ત્યારે અહંકાર અને હુંકાર કરતો તે દ્રમક એક દિવસે પોતાના કૃત્યથી કરાયેલા દુર્દેવથી પ્રેરાયો હોય તેમ વિષવૈદ્યને ઘેર ગયો. ત્યાં દવાઓની મેળવણીથી વિષમ થયેલું એક જાતનું વિષ તેની દૃષ્ટિએ પડ્યું. એટલે તરત જ નષ્ટ બુદ્ધિવાળા તે કમકે તેને સંધ્યું, સુંઘવા માત્રથી પણ તે વિષ પરાધીનતાને કરનારું હતું તેથી તે વૈધે તેને એકદમ અટકાવ્યો અને કહ્યું કે “આ તે શું કર્યું? વિચાર્યા વિના જે કામ કરવું તે મરણપર્યંત દુઃખને દેવાવાળું થાય છે. એટલે તે ભિક્ષુક બોલ્યો કે - “હે વૈદ્ય! જેમ અનર્થથી અટકાવે તેમ આ સુગંધી પદાર્થ સુંઘતા મને કેમ અટકાવો છો?” વૈધે કહ્યું કે, “હે મૂર્ખ ! તીવ્ર વિપાકથી ગૌરવતાને પામેલું આ મહાવિષ તે સુંબું, તેથી આ જન્મમાં તો તારે સુખનો વિનાશ જ થયો. આજથી પાંચે ઈન્દ્રિયોના વિષયોને લગતા પદાર્થોમાંથી એક પણ ઈષ્ટ પદાર્થ તારે સુખને માટે સેવવો નહીં, અને જો સેવીશ તો તત્કાળ તારું મરણ જ થશે. હવે તારે લૂખું રસ વિનાનું અલ્પ ભોજન કરવું, જેવું તેવું પાણી પીવું, જીર્ણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org