SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ જ્ઞાનપદ ભજીએ રે. શ્લોકના પહેલા પાકની આ પ્રમાણે પરીક્ષા કર્યા પછી રાજાએ બીજા પાકની પરીક્ષા કરવાનો આરંભ કર્યો. નગરના કોઈક અતિ નીચ પ્રકૃતિવાળા પિતા-પુત્રને કૃત્રિમ બહુમાન આપીને મંત્રી વિગેરેથી પણ અધિક માનવાળા કર્યા. પછી એકદા પ્રથમની જેમ રાજાએ પોતાની કૃત્રિમ તીવ્ર વ્યાધિને પ્રગટ કરી, પોતાના આયુષ્યના અત્તની સ્થિતિ ચરપુરુષો દ્વારા તેમને જણાવી. તે સાંભળીને અધમ સ્વભાવવાળા તે બન્ને પોતાની પ્રકૃતિને યોગ્ય એવી વાતો કરવા લાગ્યા, કેમકે એકાંત સમયય હૃદયનો ભાવ પ્રકટ થાય છે. તે સમયે ગુપ્ત રીતે રાખેલા ચાર પુરષો તેમની વાતો પણ સાંભળતા હતા. તે પિતા તથા પુત્ર આ પ્રમાણે પરસ્પર બોલવા લાગ્યા - “આ રાજા જો હમણાં જ મરે, તો આપણે આનંદથી અપુત્રિયા રાજાના સમગ્ર સામ્રાજ્યનો ઉપભોગ કરીએ. રાજ્યમાં આપણને કોણ માનતું નથી ? સર્વ માને છે અથવા કદાચ કોઈક નહીં માને, તો તેને તત્કાળ હણીને પણ આપણે રાજ્ય કરશું. નવા રાજાની એવી જ રીતે હોય છે. કદાચ રાજ્ય લેવાને આપણે સમર્થ નહીં થઈએ, તો પણ સ્વેચ્છાએ રાજાનું સર્વસ્વ લુંટી લઈને અંત:પુરની રાણીઓ સાથે અને નગરની સ્ત્રીઓ સાથે સુખભોગ તો સુખેથી ભોગવશું. માટે આ રાજાનું પોતાની મેળે જ મરણ થાય છે, તે સારું છે, નહીં તો આપણે તેને મારવાની જરૂર પડત. કેમકે રાજગૃહની અંદર ફરનારા આપણને શું દુઃસાધ્ય છે?" આ પ્રમાણે તે દુષ્ટ બુદ્ધિવાળા દુષ્ટોની પાપિષ્ટ વાતચીત સાંભળીને પેલા ગુપ્તચર પુરુષોએ તે વાત રાજાની પાસે કહી શકાય તેવી ન હોવા છતાં પણ ગુપ્ત રીતે જણાવી. તે સાંભળીને અત્યંત કોપથી કંપતા જાગૃત ન્યાયવાળા તે રાજાએ તત્કાળ તે બંનેનો નિગ્રહ કર્યો. રાજાઓને દુર્જનનો તિરસ્કાર અને સર્જનની પૂજા કરવી ઉચિત જ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy