________________
જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૧) સૂત્રોના તાત્પર્યાર્થિને આત્મસાત્ કરવાનું મન હોય તો તે એકવારના અભ્યાસથી જોઈએ તેવો લાભ ન થાય. કહેવાય છે કે પ્રથમવૃત્ત પુસ્ત શુદ્ધિઃ | પહેલીવાર ભણીએ કે વાંચીએ તો માત્ર તેમાં શબ્દશુદ્ધિ થાય. દિયાવૃત્ત સિંવિદ્ બુદ્ધિ / બીજીવાર ભણવામાં આવે તો કાંઇક સમજ પડવા લાગે. જ્યારે આમ કરતાં કરતાં રફતે રફતે કરીને પણ સાતવાર તેમાંથી પસાર થવાનું થાય તો તો તેના રચયિતાના હૃદયના ભાવોને બરાબર સમજી શકાય. એવો ઉદ્યમ અને જ્ઞાની પુરુષોનો વિનયપૂર્વકનો સંપર્ક હોય તો જ્ઞાન
આવે. શ્રી ઉમારવાતિ મહારાજે કહ્યું છે કે -
વળશ્વરસાથે શ્રુતજ્ઞાનમ્ ! (-પ્રશમરતિ )
આ બધામાં કાળજી રાખવાની હોય છે. જેમકે નવો ગ્રન્થ પ્રારંભ કરવો છે તો શ્રીઠાણાંગસૂત્રમાં કહ્યું છે જ્ઞાનવર્ધક જે મૃગશીર્ષ વગેરે દશ નક્ષત્ર છે તે નક્ષત્રમાં એ ગ્રન્થનો પ્રારંભ કરવો. ગ્રન્થરચયિતા પ્રત્યે અહોભાવપૂર્ણ બહુમાન રાખવાથી તે ગ્રન્થના ભાવો હૃદયમાં આવવા માંડે છે.
વળી જે કંઠે કરવું હોય તે લખીને કરવું તો તુર્ત કંઠે થઈ જાય. વસ્તુપાળ મંત્રીશ્વરને ઓછામાં ઓછા એક શ્લોક લખવાનો નિયમ હતો. ભણવું જ છે એવો સંકલ્પ હોય તો બધું જ સાનુકૂળ મળી આવે. મંત્રીશ્વર પેથડને એવી પ્રવૃત્તિ રહેતી હતી. ઘરે કે સભામાં સમય જ મળતો નહીં. ઉપદેશમાળાની રોજ એક ગાથા કંઠે કરવી આવો નિયમ હતો. ન થાય તો વિગઈનો ત્યાગ. હવે ૪પ દિવસ આવા વીત્યા એટલે પત્ની પ્રથમિણીએ કહ્યું. આમ કેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org