________________
જ્ઞાનપદ ભજીએ રે થાય. અત્યારે ઘણાંને પ્રાકૃત ભાષાબદ્ધ સૂત્રો શુષ્ક અને રસહીન લાગે છે તેનું કારણ તે બોલવાની – ગોખવાની પદ્ધતિની ખામી છે.
આપણાં ઘણાં ખરા આચાર સૂત્રો છંદમાં જ રચાય છે. નમુન્થુણં, અન્નત્ય, અરિહંતચેઇયાણં જેવા ગદ્યમાં છે. બાકી ઘણાંખરાં પદ્યમાં છે. જેમ કે જગચિંતામણિ સૂત્રની પહેલી ગાથા રોલા છંદમાં છે. બીજી અને ત્રીજી ગાથા વસ્તુ છંદમાં છે. પંચિંદિય, સિદ્ધાણંબુદ્ધાણં, જયવીયરાય, વંદિત્તુસવ્વસિદ્ધે, ઉવસગ્ગહરં પાર્સ, શાંતિ-શાન્તિ-નિશાનાં. આ બધાં સૂત્રો આર્યા છંદમાં છે. લોગસ્સની પહેલી ગાથા શ્લોકમાં એટલે કે અનુષ્ટુપમાં છે. પછી આર્યા છંદમાં છે. આ પણ માલકોશમાં ગાઇ શકાય. તે રીતે અનુષ્ટુપ છંદ તો સરસ રીતે માલકોશમાં ગાઇ શકાય. જેમ કે આખું સકલાહ. માલકોશમાં કર્ણમધુર શૈલીમાં ગાઇ શકાય છે. સૂત્રોમાં સુંદરતા અને રસાળતા અનુભવવા માટે આ જરૂરી છે.
બાળકોને પાઠશાળામાં પણ પહેલેથી આ શૈલીમાં શીખવાડવામાં આવે તો પછી બોલવાની એવી જ ઢબ પડી જાય આ કાંઈ અઘરું નથી. ઉદ્યમથી કશું અશક્ય નથી.
સૂત્રો શુદ્ધ ઉચ્ચારુપૂર્વક ગુરુ મહારાજના મુખેથી લેવાં જોઇએ.
મંત્રીશ્વર પેથડકુમાર દર છ મહિને ગુરુ મહારાજ પાસે જઇને પ્રતિક્રમણનાં સૂત્રો ધારી આવતા, સંભળાવી આવતાં. તેમાં જે અશુદ્ધિ દાખલ થઈ ગઈ હોય તે દૂર થઇ જાય.
પ્રતિક્રમણનાં સૂત્રોને આચારસૂત્રો કહેવાય. જીવવિચાર, નવતત્ત્વ, તત્ત્વાર્થાધિગમસૂત્ર વગેરેને વિચારસૂત્ર કહેવાય. પંચસૂત્ર, ચઉસરણ પયજ્ઞા સૂત્ર વગેરેને વિકાસ સૂત્ર કહેવાય છે. વિચાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org