________________
જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૧) જોઈએ. અક્ષરવાળાં વસ્ત્રો ન પહેરવાં જોઈએ અને અક્ષરવાળા પેડા વગેરે ન વાપરવા જોઈએ. કાગળ ઉપર – ખાવું – બેસવું આ બધું ખૂબ આશાતના રૂપ છે. આજકાલ ખાતા-ખાતાં ટી.વી. જોવાનું કે છાપું વાંચવાનું જોવા-સાંભળવા મળે છે તે પણ શોભતું નથી અને જ્ઞાનની આશાતના રૂપ છે.
આવી જ્ઞાન–જ્ઞાની અને જ્ઞાનનાં ઉપકરણોની આશાતના કરવાથી કેવાં માઠાં પરિણામ આવે છે. તે રીતે બંધાયેલા કર્મના ફળ શું મળે છે ! તે બધી બાબત માટે આપણે ત્યાં જ્ઞાનપંચમીની કથા તરીકે જે કથા પ્રસિદ્ધ છે તે વરદત્ત–ગુણમંજરીની કથા સારી રીતે જાણવી જોઈએ અને તેનાં કારણો વિચારવા જોઈએ. ગુણમંજરીએ પૂર્વભવમાં જ્ઞાની અને જ્ઞાનનાં સાધનોની આશાતના કેવી કરી હતી ! પંડિત જિનવિજયજી મહારાજ રચિત જ્ઞાનપંચમીનું છ ઢાળનું જે સ્તવન આવે છે તેમાં આ આખી વાત સુંદર રીતે વણી લીધી છે. તે ઢાળો મોઢ કરવા જેવી છે. હાં. તો તેમાં ગુણમંજરીના પૂર્વભવની વાત છે. પતિનું નામ જિનદેવ છે અને પત્નીનું નામ સુંદરી છે. પાંચ દીકરા છે. ચાર દીકરી છે. આઠેક વર્ષના દીકરા થાય ત્યારે નિશાળે
મૂકવામાં આવતા. બાળપણમાં રમતનો રંગ વધારે તેથી પંડિત ભણાવે • પણ કાંઈ આવડે નહીં. ન આવડે એટલે પંડિત શિક્ષા કરે, મારે.
બાળકો ઘરે આવી માને વાત કરે. હવે માતાની ભૂમિકા શરૂ થાય
છે. મા દીકરાને વિપરીત શીખવાડે છે કે જ્યારેતે “પંડ્યો આવે તેડવા તવ સ હણજો તા.” જ્યારે તમને
તેડવા માટે પંડિત આવે ત્યારે તમે તેને મારજો. બોલો હવે શું થાય! બાળકોને નાની વયમાં ભણાવનારનો વિનય શીખવાડવાનો હોય કે મારવાનું શીખવાડવાનું હોય. કહેવું જોઈતું હતું કે : “બરાબર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org