________________
૧૧૦
" જ્ઞાનપદ ભજીએ રે. જાણવો. IIછા સુંદર ત્રિભંગીથી ભરપૂર ઘણા નૈગમાદિ નયો જેમાં છે અને જે વચનથી શુદ્ધ શુદ્ધતર અતિશય તેજવાળું છે તે સમક્તિકૃત જાણવું ICII (પાંચમો ભેદ)// બાલબુદ્ધિ મનુષ્યો અનેક પ્રયત્નથી ભંગજાળો રચે તેમાં સમ્યગ્દર્શનના દાત્તનો (દેખાવનો) ભાસ પણ નથી. મell (અસહ્ના વિવેચન વિના એકાત્ત પક્ષ અંગીકાર કરે અને જે (જ્ઞાનવાળાઓ) જ્ઞાનનું ફળ પામે નહિ તે મિથ્યાશ્રુતનું સ્વરૂપ જાણવું ૧all (છઠ્ઠો ભેદ) // પાંચ ભરત તથા પાંચ ઐરવત એ દશ ક્ષેત્રોમાં આદિસહિત (સાદિ) શ્રત જાણવું. (જે જે તીર્થકરનું તીર્થ પ્રવર્તતું હોય, તે તે પ્રભુનો આધાર (ત્રિપદી) પામીને તેમના ગણધરોએ રચેલું તે શ્રત જાણવું l/૧૧/l (સાતમો ભેદ) / દુuસહ સૂરીશ્વર સુધી વર્તમાન શ્રુતજ્ઞાનનો આચાર પ્રવર્તશે તેથી શાન્ત શ્રત જાણવું. અથવા એક જીવને ઉદ્દેશીને પણ મૃતનું સાદિ સાત્તાપણું હોય છે તેથી સાત્ત જાણવું. // (આઠમો ભેદ) // દ્રવ્યનયથી શાશ્વત ભાવે વર્તનારું શ્રુત અનાદિ જાણવું. તેવું (શાશ્વત ભાવે વર્તનારું) ઉત્તમ આગમરૂપ રત્ન મહાવિદેહ ક્ષેત્રમાં સદા કાલ વર્તે છે //all (નવમો ભેદ)ll અનેક જીવને અપેક્ષી કૃત અનાદિ અનંત છે. તે અનાદિ અનંતા શ્રત જાણવું, દ્રવ્યાદિ ચાર પ્રકારે સાદિ સાંત અનાદિ અનંત સંબંધી
૧. ત્રિભંગીનું સ્વરૂપ ગીતાર્થ ગુરુ મહારાજ પાસેથી જાણવું - ૨. એક જંબુદ્વીપનો, બે ધાતકી ખંડના, અને બે પુષ્કરના,
૩. દ્રવ્યથી એક જીવની અપેક્ષાએ સમ્યકત્વની પ્રાપ્તિ થવાથી સાદિકૃત જાણવું, અને મિથ્યાત્વ, ભવાત્તર, કેવલજ્ઞાન, ગ્લાનિ, પ્રમાદ વિગેરે કારણોથી
જ્યારે તે નાશ પામે ત્યારે સાત્તકૃત જાણવું. તથા અનેક જીવની અપેક્ષાએ અનાદિ અનન્ત જાણવું. ૧. ક્ષેત્રથી ભરત ઐરાવતની અપેક્ષાએ સદિસાત્ત, અને વિદેહની અપેક્ષાએ અનાદિ અનન્ત જાણવું ૨. કાલથી ઉત્સર્પિણી અવસર્પિણી કાલની અપેક્ષાએ સાદિયાન્ન અને નોઉત્સર્પિણી નોઅવસર્પિણી કાલની અપેક્ષાએ અનાદિ અનન્ત જાણવું. ૩. ભાવથી ભવસિદ્વિકપણાની અપેક્ષાએ સાદિસાન અને અભવ્યપણાને આશ્રી અનાદિ અનન્ત જાણવું. ૪.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org