________________
૧૦૦
જ્ઞાનપદ ભજીએ રે પહેલો અવસરોચિત રોહાની માફક કોઈથી કળી ન શકાય એવો “ઔત્યાતિકી' નામનો ભેદ જાણવો, ફરી ગુરુમહારાજાનો સર્વ ગુણોમાં અગ્રેસર એવો વિનય કરવાથી જે મતિજ્ઞાનનો વિસ્તાર પામીએ તે “વૈનાયિકી બુદ્ધિ નામનો બીજો ભેદ જાણવો. આ આ બુદ્ધિ સ્વ ગુણોમાં શિરોમણિ છે. ૩૩ વારંવાર કાર્યનો અભ્યાસ કરવાથી જે મતિજ્ઞાનનો ભલો વિચાર ઉભવે તેને નંદીસત્રાદિસત્રોમાં કાર્મિકી” બુદ્ધિ કહી છે. (આ ત્રીજો ભેદ) ૩૪ll અવસ્થાનો પરિપાકે થવાથી કમલવનમાં મહા હંસની માફક જે ભરપુર બુદ્ધિ પામે તે સતેજ પરિણામિકી” બુદ્ધિ જાણવી. (આ ચોથો ભેદ. ) Iઉપ
અઠ્ઠાવીશ બત્રીશ બે ચાર અને ત્રણસો ચાલીશ આ પ્રમાણે દર્શનથી એટલે અપેક્ષાથી જુદી જુદી રીતે વિચારવાથી મતિજ્ઞાનના ભેદો થાય છે. (સમ્યકત્વથી મતિજ્ઞાન અને મિથ્યાત્વ હોય તો મતિઅજ્ઞાન) તે સર્વ ભેદો વિજયલક્ષ્મીરૂપ ગુણના મન્દિર સમાન છે ૩૬/l
ખમાસમણ દઈને ઈચ્છાશ્રી શ્રુતજ્ઞાન આરાધનાથે ચૈત્યવંદન કરું? ઈચ્છે કહી ચૈત્યવંદન કહેવું તે નીચે પ્રમાણે
૧ ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, લાયોપથમિક, પારિણામિક ૨ રોહનું દૃષ્ટાન્ત પ્રસિદ્ધ છે.
૩ કોઈ સરોવરના કિનારે કમલના વનમં એક વૃક્ષ ઉપર સોનું ટોળું રહેતું હતું, તે વૃક્ષના નીચે એક વેલડી ઊગી, તે વેલડી વૃક્ષ ઉપર ચઢવા લાગી, ત્યારે મોટા વૃદ્ધ હસે પુત્રપૌત્રાદિનો વિનાશંન થાય માટે પુત્રાદિ પરિવારને કહ્યું કે–આ વેલડીને ચાંચથી તોડી નાંખો, નહિં તો આપણું મરણ થશે. ત્યારે નાના તરુણ વયના હંસો હાંસી કરતા બોલ્યા- આ વૃદ્ધને તો અહીં શાશ્વત રહેવું લાગે છે? ત્યારે વૃદ્ધ ચૂપ થઈને બેસી રહ્યો. અનુક્રમે વેલડી વધતી વધતી વૃક્ષ ઉપર ચઢી. એટલે કે એક શિકારીએ તે વેલડીનું અવલંબન કરી વૃક્ષ ઉપર ચડીને જાળ પાથરી. બહાર ગયેલા હંસો આવીને બેઠા એટલે તે જાળમાં સપડાયા. પછી તેમણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org