________________
શ્રી જ્ઞાનપંચમી દેવવંદન
૯૭
દુહામાં પણ મતિજ્ઞાનના છ ભેદો દર્શાવ્યા છે, ૧ સ્પર્શનેદ્રિન્સ અપાય. ૨ રસનેન્દ્રિય અપાય, ૩ ઘ્રાણેન્દ્રિય અપાય, ૪ ચક્ષુરિન્દ્રિય અપાય, ૫ શ્રોત્રેન્દ્રિય અપાય, ૬ માનસ અપાય) ૧૦ નિશ્ચય કરેલી વસ્તુને સ્થિરતાએ ગ્રહણ કરવી. કાલાન્તરે પણ સત્ય જાણવી તે પાંચ ઇન્દ્રિય તથા મન થકી થનાર જ્ઞાન ધારણા છે. આ પ્રમાણે ધારણાનો અર્થ કહેવો. (આ દુહામાં મતિજ્ઞાનના છ ભેદો દર્શાવ્યા છે, ૧ સ્પર્શનેન્દ્રિય ધારણા ૨ જિલ્વેન્દ્રિય ધારણા, ૩ ઘ્રાણેન્દ્રિય ધારણા, ૪ ચક્ષુરિન્દ્રિય ધારણા, ૫ શ્રવણેન્દ્રિય ધારણા, ૬ માનસ ધારણા. અહીં સુધીમાં વ્યંજનાવગ્રહ ૪, અર્થાવગ્રહ ૬, ઈહા ૬, અપાય ૬, ધારણા ૬, એમ અઠ્ઠાવીશ ભેદોનું વર્ણન કર્યું, હવે તેના અવ્યન્તર ભેદો તથા બીજી રીતના મતિજ્ઞાનના ભેદો દર્શાવે છે.) । ૧૧ ।।પદાર્થને નિશ્ચયથી જાણ્યા પછી અપાયથી અધિક ગુણવાળું અતિશય નિરન્તર જે, તે વસ્તુનું ધ્યાન તે અવિચ્યુતિ ધારણાનું સ્થાન છે. ।। ૧૨ ।।
અવિચ્યુતિ અને સ્મૃતિનું જે કાર્ય અને કારણ હોય અર્થાત્ અવિચ્યુતિનું કાર્ય અને સ્મૃતિનું કારણ એવી સંખ્યાતા અસંખ્યાતા કાલસુધીની સ્થિતિવાલી વાસના નામની ધારણા જાણવી ૧૩ પૂર્વદર્શન તથા ઉત્તર દર્શને કરી સહિત અપ્રાપ્તવસ્તુની એકતા જણાવનારું અસંખ્યાતે કાલે પણ આ તે જ વસ્તુ છે (એમ યાદ આપનારું) એ જાતિસ્મરણ જ્ઞાનનું તત્ત્વ છે (અર્થાત્ તે જાતિસ્મરણ જ્ઞાન કહેવાય છે અને તે મતિજ્ઞાનાંર્ગત ધારણાનો જ પ્રકાર છે) | ૧૪ ||
૨ આ ધર્મો હોવાથી આ પદાર્થ છે તથા આ ધર્મો નહિ હોવાથી આ પદાર્થ નથી-એવી વિચારણારૂપ જ્ઞાન. મતિજ્ઞાનનો ત્રીજો ભેદ
૧ આ વસ્તુ આ જ છે એવા નિશ્ચયવાળું જ્ઞાન અપાય- તે મતિનો ચોથો ભેદ છે. આનું સ્થિતમાન અન્તર્મુહૂર્તનું છે.
૨ નિશ્ચિત વસ્તુને લાંબા કાળ સુધી અવધારવું, આ મતિનો પાંચમો ભેદ, એનો કાલ સંખ્યાતો અથવા અસંખ્યાતો, અહીં સુધીમાં સ્પર્શેન્દ્રિયતા ૫ ૨સન્ડ્રે ન્દ્રિયના ૫, ઘ્રાણેન્દ્રિયના ૫, ચક્ષુરિન્દ્રિયના ૪, શ્રોત્રેન્દ્રિયના ૫, માનસના ૪, એમ અઠ્ઠાવીસ ભેદ થયા.
ૐ ધારણાના ત્રણ ભેદોમાં પહેલો ભેદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org