________________
८०
મતિજ્ઞાનની થોઈનો અર્થ
શ્રીમતિજ્ઞાનની તત્ત્વ ભેદર અને પર્યાય શબ્દોએ કરીને વ્યાખ્યા કરી છે. તે મતિજ્ઞાની જીવો સામાન્ય કરી દ્રવ્યાદિ ચાર પદાર્થોને જાણે એમ કહ્યું છે. તેઓ વસ્તુના અનન્તા ધર્મોને નિશ્ચયે જાણે છે. એમાં અજ્ઞાનની વિવક્ષા કરેલી નથી. જો વિજયલક્ષ્મી રૂપ ગુણ પ્રાપ્ત કરવાની અભિલાષા હોય તો તે મતિજ્ઞાનની વન્દના તથા પૂજના કરો. /૧/
પછી ખમાસમણ દઈ, ઊભા રહી, મતિજ્ઞાન સંબંધી અઠાવીશ ગુણ વર્ણવવા દુહા કહેવા. તેમાં પઠિકાના દુહા લખીએ છીએ. પીઠિકાના દુહા
શ્રી શ્રુત દેવી ભગવતી, જે બ્રાહ્મી લિપી રૂપ પ્રણમે જેહને ગોયમા, હું વંદું સુખરૂપ / ૧ / શેય અનંતે જ્ઞાનના, ભેદ અનેક વિલાસ / તેહમાં એકાવન કહું, આતમ ધર્મ પ્રકાશ ॥ ૨ ॥ ખમાસમણ એક એકથી, સ્તવિયે જ્ઞાન ગુણ એક | એમ એકાવન દીજીયે, ખમાસમણ સુવિવેક ॥ ૩ ॥
જ્ઞાનપદ ભજીએ
૧ તત્ત્વ-મતિજ્ઞાનનું લક્ષણ જે આગળના દુહાના અર્થમાં સ્પષ્ટ રીતે બતાવાશે તે.
૨ ભેદો-વ્યંજનાવગ્રહ વિગેરે અઠ્ઠાવીશ, બત્રીશ, અથવા ચાર, બે, ૩૩૬ ને ૩૪૦ છે.
૩ પર્યાય-મતિજ્ઞાનના બીજા નામો ઇહા, અપોહ, વિમર્શ, માર્ગા, ગવેષણા, સંજ્ઞા, સ્મૃતિ, મતિ, પ્રજ્ઞા આ સર્વ આભિનિબોધિક જ્ઞાનના પર્યાયો છે.
Jain Education International
.
For Personal & Private Use Only
www.jainelibrary.org