SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ યોગ્ય ન લાગે તો પોતાનું દ્રવ્ય પાછું લઈ તે દાસી વેચનારને પાછી આપી શકે છે. ભેંસ વગેરેને અવધિ ત્રણ દિવસનો છે, બીજ વેચાથી લઈ દશ દિવસમાં પાછું આપી શકાય છે. ઘોડો, બળદ કે વાહનની હરકોઈ વસ્તુ પાંચ દિવસ સુધી પાછી આપી શકે, લોઢાનો અવધિ એક દિવસનો છે, રત્નનો અવધિ સાત દિવસનો છે. અને પુરૂષ પરીક્ષાનો અવધિ પંદર દિવસનો કહેલો છે. પાછળ કહેલી વસ્તુઓ એટલા મુકરર કરેલા અવધિમાં દોષવાળી જણાય તો તે ખરીદનાર તેની વસ્તુ પાછી આપી આપેલું મૂલ્ય પાછું લઈ શકે છે. થોવ્યતિષિવિષયવ્યવસ્થામદ क्रीतं प्रत्यर्पितुं वस्तु ग्राहकश्चेत्समीहते । ऽविकृतं तद्दिने चैव तर्हि प्रत्यर्पयेद् ध्रुवम् ॥ ६ ॥ ददद्वितीये दिवसे पणत्रिंशांशहानिभाक् । तृतीये द्विगुणा हानिः परतो देयमेव न ।। ७ ॥ ઉપર કહેલી વસ્તુ સિવાય બીજી વસ્તુઓ સંબંધીની વ્યવસ્થા કહે છે :- વેચાથી લીધેલી વસ્તુ ગ્રાહક પાછી આપવાને ઈચ્છે તો અવશ્ય તેણે બગાડ્યા સિવાય તે જ દિવસે પાછી આપવી. બીજે દિવસે જો ગ્રાહક લીધેલી વસ્તુ પાછી આપે તો તેને વસ્તુની કીમતમાંથી ત્રીશમો ભાગ કાપીને બાકીના પૈસા પાછા મળે ત્રીજે દિવસે ખરીદેલી વસ્તુ પાછી આપવા જાય તો તેથી બમણો ભાગ ઓછો મળે અને ત્રીજે દિવસે તો ખરીદેલી વસ્તુ પાછી આપી શકાય જ નહિ. યમપરીક્ષિત વસ્તુ વિધ: ઉપરનો વિધિ વગર પરીક્ષા કરે ખરીદેલી વસ્તુના સંબંધમાં છે. परीक्षितग्रहे तु न हि क्रीतवस्तुनः प्रत्यर्पणं न च दत्तादानं | મવતીત્યાર | પરીક્ષા કરીને લીધેલી વસ્તુને પાછી આપી શકાય નહિ તેમજ આપેલા પૈસા પાછા મળે નહિ તે કહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005622
Book TitleArhan Niti
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy