SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ વૃદ્ધ માતા પિતા, બાળક, પુત્ર તથા પતિવ્રતા સ્ત્રી એ સઘળાં સતત યત્નથી અવશ્ય પોષણ કરવા યોગ્ય છે. अथ देयमाह ॥ देयं तदेव विज्ञेयं यस्यापहरणं नहि । यत्रात्मीयविरोधो न दत्तवत्सप्तभेदयुक् ॥ १३ ॥ यस्मै प्रतिश्रुतं यच्च तत्तस्मै देयमेव च । धर्मार्थं यदि स धर्मात्प्रच्युतो नैव जायते ॥ १४ ॥ प्रतिग्रहो ह्यदेयस्य सप्रकाशो विशेषतः । स्थावरस्य तथा वादी यथा वैफल्यमश्नुते ॥ १५ ॥ भाव्युपाध्याधिदानप्रतिग्रहक्षेपविक्रयाः । कृता यस्य तदंते तत् सर्वं च विनिवर्तयेत् ॥ १६ ॥ દેય દાન તેને જ જાણવું કે જે પાછું લઈ શકાય નહિ અને જે આપવાથી કુટુંબીઓમાં વિરોધ થાય નહિ તે દેય દાન દત્ત દાનની પેઠે સાત પ્રકારના ભેદવાળું છે. જે વસ્તુ જેને ધર્મને અર્થે આપવા કહ્યું હોય તે ધર્મથી ચળ્યો ન હોય તો તેને જ તે વસ્તુ આપવી. અદેય વસ્તુ ગ્રહણ કરવી તો ખુલ્લી રીતે ગ્રહણ કરવી. સ્થાવર મીલ્કત તો વિશેષ કરીને જાહેરમાં લેવી કે જેથી કરીને તકરારી મનુષ્ય નિષ્ફળ જાય. ભવિષ્યની દેશકાળની શરતે જેનું ગીરો, દાન, લેવડ, થાપણ, વેચાણ વગેરે કર્યું હોય તે સર્વ તે શરતના અંતે રદ કરવું. अथ योऽदत्तं गृह्णाति यश्चादेयं प्रयच्छति तदंडमाह । હવે જે અદત્ત એટલે નહી લેવા યોગ્ય વસ્તુનું ગ્રહણ કરે છે, અને જે અદેય એટલે ન આપવા યોગ્ય વસ્તુ આપે છે તેમનો દંડ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005622
Book TitleArhan Niti
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy