SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ תבורכתכרכורלתכתכוכתכתכתכתבותכותכותבותכותלתלתלתלתלתלתכתבותכותכתבכתבתכתכתבותכתבתם મન કહે તે સંસારનો માર્ગ, ગુરુ કહે તે સાધનાનો માર્ગ. . ગુરુદેવની સેવા એજ મારું જીવનવ્રત. ગુરુદેવનો વિચાર એજ મારા મનોરથ. ગુરુદેવની આજ્ઞા એજ મારું આરાધનાવ્રત. મારા ગુરુદેવ મને જે આપશે અગર કહેશે તે જ હવે નભશે.... ફાવશે... ગમશે. અને પરવડશે... બસ....આ જ વિચારધારાને જીવનમાં ઘૂંટી ગુરુદેવ અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ગુણસાગરસૂ. મ. ના ચરણકમલે ભૂંગાયમાન આ મુનિવરશ્રી એવા ગુરુ સમર્પિત બની ગયા કે શ્રી જિનશાસનના અને અચલગચ્છના કાર્યો કાજે પોતાના ગુરુદેવશ્રીના સત્કાર્યોમાં સતત જોડાતા રહ્યા અને પોતાના ગુરુદેવશ્રીના દિલમાં ઘેરું સ્થાન પ્રાપ્ત કરી લીધું. સતત ૨૩-૨૩ વર્ષ સુધી ગુરુશ્રીના પડછાયા બની અદ્ભુત વૈયાવરચ કરી જેના પરિણામે ભુજમાં ઉપાધ્યાય પદે અને વિ. સ. ૨૦૦૩માં અખાત્રીજે મકડા ગામે વિશિષ્ટ જિનભક્તિના મોત્સવ પૂર્વક આચાર્યપદે આરૂઢ કરાયા. વર્ષો પૂર્વે પોતાના પૂજ્યપાદું ગુરુદેવશ્રીના મુખેથી “રસ જિરે નિત્તમ સર્વ” ની વાણી સાંભળી પ્રારંભ થયેલી વરસીતપની યાત્રા આજે પણ ચાલુ જ છે. સળંગ ૨૮-૨૮ વર્ષથી વર્ષીતપની તપશ્ચર્યા કરી કચ્છ-ગચ્છ અને શાસનની શાન વધારી છે. અનેક દીક્ષાઓ - વડી દીક્ષાઓ, પ્રતિષ્ઠાઓ, અંજનશલાકાઓ, સમૂહ ઓળીઓ, છ'રી સંઘો, ઉપાશ્રયો નિર્માણ, તેમજ ૭૨ જિનાલય તીર્થ માટે પ્રસંગોપાત પ્રેરણા આપી લાખો રૂ. ના ફંડો કરાવી જિનશાસનનો, અચલગચ્છનો જયજયકાર બોલાવેલ છે. પોતાના ગુરુદેવનું સ્વપ્ન સાકાર થાય એ માટે સતત ઉત્તેજના અને ખેવના રાખી. ૮-૮ ચાતુર્માસ આ ભૂમિ પર કરી તીર્થના ગૌરવતા વધારવા અનોખું યોગદાન આપ્યું છે. વિ. સ. ૨૦૪૪ માં પૂજ્ય ગુરુદેવશ્રી અનંતની વાટે સંચર્યા, ત્યારે સકલ સંઘોએ આસો સુદ ૨ ના અચલગચ્છાધિપતિશ્રીના અગ્નિસંસ્કાર સમય પૂર્વે સમુદાયનું સુકાન સોપ્યું. અખિલ ભારત અચલગચ્છ સંઘે રજત વર્ષીતપના પારણા પ્રસંગે સુધર્માસ્વામિની પાટપરંપરામાં ૭૭માં પટ્ટધર તરીકે જાહેર થતા કરી અચલગચ્છાધિપતિ પદથી અલંકૃત કર્યા. સળંગ ૨૮-૨૮ વર્ષથી તપની જયોત જલાવી રહેલા ૬૫ વર્ષના વયે પણ હજારો કિ. મી. નો પાદવિહાર કરતા... આ ચારિત્રની સુવાસ પ્રસરાવી રહેલા.... જિનાજ્ઞા બહુમાનનો નિવાસ જેમનામાં રહેલો છે એવા.. બોલવું ઓછું... અને “સતત શાસન સેવા કરવી” એ જીવન મંત્રને ચરિતાર્થ કરનારા વર્તમાન અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મહારાજાના ચરણે વંદના.... LCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLLLCLELELELELELE Jain Education international For Personal & Private Lise Only www.nelorry ang
SR No.005620
Book TitleKalpsutra
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri, Kalaprabhsagarsuri
PublisherMulund Swe Mu Pu Jain Sangh Mumbai
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy