SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર ચાતુર્માસ રહેલા અને નિરંતર અઠ્ઠમતપથી વધારે તપ કરનારા સાધુઓને એક ગરમ પાણી વ્યાખ્યાન જી લેવું કહ્યું છે. એ ગરમ ત્રણવાર ઉકાળેલું પાણી પર અસિત્વ એટલે અનાજના દાણા વિનાનું છે Fછે પરંતુ અનાજના દાણાવાળું નહીં. અઠ્ઠમતપથી વધારે તપ નિરંતર કરનારાના શરીરમાં પ્રાયે દેવો (FD 44559399594 5) વસે છે. આહીરવી કરી પણ 5 ચાતુર્માસ રહેલા અને અનશન કરનારા સાધુને એક ઉકાળેલું પાણી લેવું કહ્યું. એ પાણી છે પણ અનાદિકના અંશ વિનાનું કહ્યું. અનાદિના અંશવાળું ન કલ્પે. તે પણ ગાળેલું કહ્યું, પરંતુ 3) તૃણ વગેરે લાગવાથી અણગળ ન કહ્યું. તે પણ પ્રમાણયુક્ત પ્રમાણ વિનાનું નહીં, તે પણ સંપૂર્ણ ન લેતાં થોડું ઓછું લેવું વધારે ઓછું લેવું નહીં. કારણ તેથી તરસ મટતી નથી. ચાતુર્માસ રહેલા અને દત્તિની સંખ્યા રાખનારા સાધુને આહારની પાંચ દત્તિ અને પાણીની કે પાંચ દત્તિ લેવી કલ્પ. અથવા ચાર આહારની અને પાંચ પાણીની દત્તિઓ લેવી કલ્પ, અથવા પાંચ આહારની અને ચાર પાણીની દત્તિઓ લેવી કહ્યું, તેમાં એક દત્તિ લુણના આસ્વાદન માત્ર પણ હોય છે, ગોચરી વહોરતી વખતે ભાતનો એક દાણો પણ પાત્રમાં પડે તો તે એક દત્તિ વાય અને પાણીનું એક ટીપું પાત્રમાં પડે તો પણ એક દત્તિ કહેવાય. અને એકી સાથે પાત્રમાં પડી જાય તો તે પણ એક દત્તિ કહેવાય. અખંડિત ધારાથી પાણી આદિનું પાત્ર ભરાય તો તે પણ એક જ દત્તિ કહેવાય. જેમને જેટલી દત્તિનો નિયમ હોય તેમણે તેટલી દત્તિ લેવી કલ્પ. અને તેમને તે દિવસે તેટલા જ આહારથી સંતોષ માનવો પરંતુ પોતાના માટે બીજીવાર ગૃહસ્થના ઘરે આહારપાણી લેવા માટે જવું આવવું કહ્યું નહીં. આહાર અને પાણીની દત્તિઓનો પરસ્પર ) સમાવેશ કરી ઓછી વધુ દત્તિઓ કરી શકાય નહીં. ચાતુર્માસ રહેલા તથા નિષેધ કરેલા ઘરોથી નિવૃત્તિ પામેલા એવા સાધુ તથા સાધ્વીઓને ઉપાશ્રયથી સાત ઘરોમાં જમણવારાદિ પ્રસંગે ગૌચરી લેવા જવું કહ્યું નહીં. કેટલાક આચાર્યો એમ કહે છે કે ઉપાશ્રય સહિત સાત ઘરો અને કેટલાક આચાર્યો ઉપાશ્રય પછી આઠ ઘરોમાં સંખંડી એટલે ઘણા માણસોનું જમણવાર હોય ત્યાં વહોરવા જવું-કલ્પ નહીં. ' , XEFE 55 55 55 55 55 5554444444444 Jan Education international For Personal Private Lise Only
SR No.005620
Book TitleKalpsutra
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri, Kalaprabhsagarsuri
PublisherMulund Swe Mu Pu Jain Sangh Mumbai
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy