SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર કમદિરાને યોગ્ય વસ્તુઓને ભેગી થતાં મદિર બની જાય છે અને તેમાં મદ (નશો) પેદા થાય છે વ્યાખ્યાન છે તેમ આત્મા, પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશરૂપ પાંચ ભૂતથી ઉત્પન્ન થઈને પાણીમાંથી ઉત્પન્ન થયેલ પરપોટો ફૂટીને એ પાણીમાં જ વિલય પામે છે તેમ તે આત્મા એ પાંચ ભૂતોમાંજ નાશ પામે છે. તેથી પાંચ ભૂતથી આત્મા જુદો ન હોવાથી મરીને કોઇપણ ફરી જન્મ લેતો નથી. એટલે પરલોક નથી એવો તું અર્થ કરે છે તે અર્થ બરાબર નથી. કારણ કે વિજ્ઞાનઘન એટલે જ્ઞાન અને દર્શનનો જ ઉપયોગ તે વિજ્ઞાન કહેવાય. તેના એકરૂપપણાથી આત્મા પણ વિજ્ઞાનઘન જાણવો. આત્માના દરેક પ્રદેશે અનંતા જ્ઞાન દર્શન પર્યાયો હોવાથી વિજ્ઞાનઘન એટલે જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વરૂપ આત્મા કોઇક રીતે પૃથ્વી આદિ પાંચ ભૂતો અથવા તેનાથી બનેલા ઘટપટાદિ પદાર્થોના ઉપયોગ પણે ઉત્પન્ન થાય છે, અર્થાત ઘટાદિજ્ઞાન પણે પરિણમેલ આત્મા ઘટાદિ હેતુથી જ થાય છે કારણ કે, ઘટાદિજ્ઞાનના પરિણામને ઘટાદિવસ્તુનું સાપેક્ષપણું છે માટે એ પાંચ ભૂત કે તેથી બનેલા ઘટાદિવસ્તુના ઉપયોગપણે ઉત્પન્ન થયેલો આત્મા ફરી તે વસ્તુઓની પાછળ વિનાશ પામે છે. તાત્પર્ય એ છે કે, ઘટાદિવસ્તુઓ નાશ પામી હોય અથવા નજરથી દૂર વિદ્યમાન હોય તો પણ જીવ તો તે ઘટાદિના ઉપયોગ પણે નાશ પામે છે અને બીજા ઉપયોગપણાથી ઉત્પન્ન થાય છે અથવા સામાન્યરૂપપણે રહે છે. એટલે ઘટાદિ ઉપયોગરૂપ પૂર્વની સંજ્ઞા રહેતી નથી. કારણ કે, વર્તમાન ઉપયોગથી તેનો નાશ થયેલ છે. તે આત્મા જ્ઞાનમય છે , તથા દદદ એ ત્રણ દકારમય છે એટલે દમ, દાન અને દયા એ ત્રણ દકારને જે જાણે તે જીવ F) કહેવાય છે. તથા એમ વેદ વાક્ય પણ આત્માને સિદ્ધ કરે છે. વળી દૂધમાં ઘી, તલમાં તેલ, કાષ્ટમાં અગ્નિ, પુષ્પમાં સુગંધ, અને ચંદ્રમાં જેમ અમૃત રહેલ છે તે તેમ શરીરમાં આત્મા રહેલ છે, છતાં તે શરીરથી અલગ છે. આ પ્રમાણે પ્રભુના મુખથી વેદપદોનો સાચો અર્થ સાંભળીને ઇન્દ્રભૂતિનો સંશય નાશ પામવાથી તેનું અભિમાન ચાલ્યું ગયું. અને વિનીત અને નમ્ર બની તરતજ તે HD ઇન્દ્રભૂતિ પ્રભુના ચરણોમાં નમી પડયો અને પ્રભુ પાસે પોતાના પાંચસો વિદ્યાર્થી શિષ્યો સહિત HD દીક્ષા લઇ પ્રભુનો પ્રથમ અનન્ય વિનીત શિષ્ય થયો. પ્રભુએ તેજ વખતે તેને “ઉપનેઇવા” ૨૦૬ fo4444444444444444449 falso $16444 in Education international For Personal & Private Use Only
SR No.005620
Book TitleKalpsutra
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri, Kalaprabhsagarsuri
PublisherMulund Swe Mu Pu Jain Sangh Mumbai
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy