SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ જો કોઈ વ્યક્તિ લોક કલાકારોને પ્રોત્સાહન આપવાની સંસ્થા ખોલવા માટે લાખ રૂપિયાનું દાન કરે અથવા મોટા શહેરમાં ઉછરેલા બાળકો હાથી વગેરે પ્રણીઓને જોઈ : જાણી શકે તે માટે પ્રાણીબાગમાં લાખ રૂપિયાનું દાન કરે તો આપણે તેને-વખાણીએ : છીએ. જયારે તેટલા જ રૂપિયા દ્વારા વરઘોડામાં લોક કલાકારોને બોલાવવામાં આવે તેમાં દ્વારા આપો આપ જ લોકકલાને પ્રોત્સાહન મળી જતું હોય કે વરઘોડામાં ફેરવવામાં . આdu. હાથી જેવા પ્રાણીઓ દ્વારા વરઘોડાને નીરખ-દરા હજારો બાળકો હાથી જેવા પ્રાણીઓના પરિચયમાં આવતા હોય તો, આપણે તેની ટીકા કરી છીએ આ હકીકતે પશ્ચિમની વિચારધારાનું આપણા મનોગત પર કેટલું બધું આધિપત્ય છે. તેનું સૂચક છે. - લોક-કલાને પ્રોત્સાહન આપનારી પ્રાણીબાગ જેવી પશ્ચિમમાંથી આવેલી ઔપચારીક સંસ્થા છેલ્લા બસ્સો વર્ષથી મોટા ભાગના જાહેર માધ્યમો દ્વારા પશ્ચિમની રાંસ્કૃતિના પ્રત્યેક પાસાંને વખાણવી ચાલતા પ્રચારને કારણે આપણને પણ વખાણવા જેવી લાગી જાય છે, ક્વારે લોકકલાને પ્રોત્સાહન પ્રાણીઓનો પરિચય કે ત્યાગની પ્રતિષ્ઠા જેવા એ જ હેતુઓ પૂર્વની જીવનશૈલીને એક ચાંગ એવા વરઘોડાઓ દ્વારા બર આવતા , હોય તો પણ મારા કરીને મેકોલે શિક્ષણ પામી બેઈન વોશીંગ કરનારા જાહેર માધ્યમોના સંપર્કમાં આવનારા શિક્ષિતો તેની ટીકા કરતા હોય છે. ઘણીવાર એવી ટીકા કરનારાઓના મનમાં કોઈ દુત કે દ્રષuવ થી પણ હોતો પરંતુ તેમના અાગૃત મન પર પશ્ચિમની વિરધારા.લી પડેલી અરારને કારણે તેમાંથી આ ટીકા થઈ જતી હોય છે. કોઈ શ્રીમંત વ્યક્તિ કરોડોની સંપત્તિને છોડીને રાંન્યાસ લઈ રહેલ છે તેમ કહેવાથી તેની અને સામાન્ય સ્થિતિમાં સંન્યારા લેનારની <ચ્ચે અજુગતો તફાવત ઊભો થઈ પૈસાની પ્રતિષ્ઠા થાય છે એમ કહીએ અને બીજી બાજુ મોતીલાલ નહેર તથા જવાહરલાલ નહેરુ જેવા લોકો કરોડોની સંપત્તિ છોડી. આઝાદી કાજે આંદોલનમાં જોડાઈ ગયા તેમ કહી નહેરુ તથા બીજા સામાન્ય સ્થિતિમાં આઝાદી ' આંદોલનમાં જોડાનાર વ્યક્તિઓ વચ્ચે તફાવત ઊભો કરીએ, ત્યારે વાત તર્કશુદ્ધ ભૂમિકાએથી નથી થઈ રહી, એ સ્પષ્ટ થઈ જાય છે. ૧પમી ઓગષ્ટ કે ૨૬મી જાન્યુઆરી કે "અપન્ન ઉત્સવ" જેવી ઉજવણીઓમાં દેશભરમાંથી લોકકલાકારોને બોલાવવામાં આવે છે, તો વખાણવા જેવી વાત લાગે. જ્યારે ધર્મ પ્રસંગોએ આવા જ લોક કલાકારોને બોલાવીને વરઘોડા કંઢાય ત્યારે તે વખોડવા જેવું લાગે તો ધર્મ પ્રત્યે જ સૂગ હોવાથી આમ નથી બનતું ને તે વિચારવું રહ્યું..ઘણું કહી શકાય આ વિષયમાં, પણ બીજરૂપે મૂકેલા આ થોડાક વિચારો વિચારશીલોને વણખેડાયેલી દિશામાં વિચારવા પ્રેરશે તો પણ કાફી છે. છે." . શિર તુજ ચણ વહું....... www.jainelibrary.org Jain Education Interational For Personal & Private Use Only
SR No.005618
Book TitleShir Tuz Aan Vahu
Original Sutra AuthorN/A
AuthorHitruchivijay
PublisherViniyog Parivar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy