________________
ધાર્મિક ઉત્સવોઃ ધનનો ધૂમાડો ?
શ્રી
ખંત વ્યક્તિ પૂરા ઠાઠ-માઠ રાયે દીક્ષા અંગીકાર કરે એવી પરંપરા છળ મહત્ત્વનું એક એવું કારણ રહેલું છે કે પૈસા પાછળ પાગલ બની પૈસો કમાવવા માટે ગમે તેવું ખોટું કામ કરતાં ન અચકાતી વ્યક્તિઓના દિલમાં એવો ઔંચકો લાગે છે કે એક બાજુ આપણે બીજાના હક્કનું પણ અન્યાયથી ઝુંટવી લેવા માટે કોશિષ કરીએ છીએ જ્યારે આ વ્યક્તિ સંહજાપ્ત એવી સંપત્તિને લાત મારીને ચાલી નીકળે છે. આમ ઠાઠમાઠ સાથે લેવાતી દીક્ષામાં પૈસાની નહિ પણ હકીકતે તો પૈસાના ત્યાગની પ્રતિષ્ઠા થાય છે:
1
.
જો વધુ ને વધુ લોકો શ્રીમંત વ્યક્તિના વૈરાગ્યની વાત જાણે તો તેટલી વધુ વ્યક્તિઓના જીવનમાં કંઈક પણ વિધાયક પરિવર્તન આવવાની શક્યતા ઊભી થાય. છે. અને આવી જાણ વધુમાં વધુ વ્યક્તિઓને કરવાના પૂર્વની જીવનશૈલીના “એન્વાયરમેન્ટલી રાાઉન્ડ" અનેક રસ્તાઓમાંનો એક રસ્તો વરઘોડાનો હતો. આધુનિક · જમાનામાં કાર્યકમોની જાણ છાપામાં જાહેરાત આપીને કરાતી હોય છે. જેમાં ન્યુઝ પ્રિન્ટના વપરાશ દ્વારા જંગલોના નાશ સુદ્ધાંને આડકતરું પ્રોત્સાહન મળે છે. જ્યારે પ્રાચીન રામયમાં આપણા દેશમાં આવા અનેકવિધ કાર્યક્રમોની જાણ લોકોને વરઘોડાઓ દ્વારા થતી હતી. વરઘોડો નીકળ્યો હોય તે જોઈને કોઈને પણ રાહાણે જિજ્ઞારા થાય કે આ શાનો વરઘોડો છે. અને જ્યારે જાણ થાય કે કોઈ શ્રીમંત વ્યક્તિ પોતાને મળેલા ભોગના સાધનોનો સ્વેચ્છાએ ત્યાગ કરી રહી છે, ત્યારે તેના દિલમાં તે વાળ થોડો પણ અહોભાવ પેદા થયા સિવાય રહેતો નથી. આધુનિક જમાનાની રીત આવા ત્યાગને બિરદાવવા ભારે ખર્ચ કરીને તે વ્યક્તિનાં ત્યાગનો તથા તેના જીવનનો માહિમા ગાતી પુસ્તિકા છાપવાની છે. આવી પુસ્તિકા છપાય તો આપણે તેને વખાણીએ છીએ. જેમાં હકીકતમાં તો કાગળોના બેફામ વપરાશ દ્વારા જંગલોના નાશ સુધીનું નુકશાન થતું હોય છે. જ્યારે જૂના જમાનાની રીત આવા ત્યાગને બિરદાતા વરઘોડો કાઢવાની હતી કે, જેને આજે આપણે કોઈવાર પૈરાના પ્રદર્શન અને ધુમાડાના નામે વખોડી કાઢીએ છીએ. પણ હકીકતમાં જો યોગ્ય રીતે આવા વરઘોડા કાઢયા હોય તો તેમાં બોલાવેલા લોક-કલાકારો દ્વારા લોક -કલાને પ્રોત્સાહન મળવા ઉપરાંત હાથીઘોડા બળદોના સામાન્ય સ્થિતિના માલિકોને પોતાની રોજી-રોટી પણ મળી રહે છે.
રાર તુજ આણુ વહું.
Jain Education International
For Personal & Private Use Only
ઈં
www.jainelibrary.org