SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ વેદ ધર્મ અનુસાર અન્ય નિમાં ગયેલા આત્માને તેમના વારસદાર દ્વારા બ્રાહ્મણોને અપાયેલાં અન્ન, વસ્ત્ર, પાણી જ પહોંચે છે અને ગદાનનું ફળ મળે છે. ધર્મશાસ્ત્રોએ નક્કી કરેલી ચીએ સિવાય બીજું કઈ દાન મૃતાત્માને સુખ કે શાંતિ આપી શકાતું નથી. એટલે તેમના નામે બંધાતી નિશાળો, કેલેજો, હેસ્પિટલ અને દવાખાનાનાં મકાને કે તેમના નામે અપાતી મફત દવાઓ, પુસ્તક વગેરેનાં દાન અયોગ્ય છે. તેથી જ તે મૃતાભાઓનું કલ્યાણ થાય છે, ન તે તે દાન આપનારા તેમના વારસદારોનું ય કેમ બંધ પડ્યા? હવે દાનને બીજો પ્રકાર મનુષ્યોએ પિતાનાં પુણ્ય બાંધવા કરેલા દાનને છે. - આમાં સહુ પ્રથમ યજ્ઞયાગાદિક કાર્યો આવે છે. યજ્ઞ કરવાથી મહાન પુણ્ય થવાનું ઋષિમુનિઓ કહી ગયા છે. પરંતુ આજથી ૫૦૦ વરસ પહેલાં શ્રીમદ્ વલ્લભાચાર્ય મહારાજે આ કળિયુગમાં હવે પ્રત્યેની શુદ્ધિ રહી ન હોવાથી બીજા ય બંધ કરીને માત્ર તપ અને જપે ચરૂ કરવાનું જ કહ્યું છે. કારણ કે યજ્ઞમાં વાતાવરણશુદ્ધિ, સ્થળશુદ્ધિ, શરીરશુદ્ધિ, મનશુદ્ધિ અને દ્રવ્યશુદ્ધિ–એમ પાંચ પ્રકારની શુદ્ધિ ન હોય તે યજ્ઞથી શુભ ફળ નથી મળતું, ઊલટું નુકસાન થાય છે. વાતાવરણ શુદ્ધ હોય તે અવા ય યાત્રાના સ્થળેએ અથવા સરસ્વતી નદીના કે ગંગા જેવી પવિત્ર નદીઓના કિનારે કે એવાં પવિત્ર સ્થળોએ કરાતા શ્રીમદ્ વલ્લભાચાર્યના સમયમાં તે હજી અશુદ્ધિ ઓછી હતી. ત્યારે જ તેમણે ય કરવાની ના પાડી. પણ હવે તે ગંગા નદી પણ કારખાનાના ઝેરી કચરાથી દૂષિત બની છે. યાત્રાધામે પણ તેમની આસપાસ કતલખાનાં અને મચ્છીમાર કેન્દ્રો ચાલુ કરીને દૂષિત બનાવ્યાં છે. સમગ્ર વાતાવરણ ડીઝલ-પેટ્રોલના ધુમાડા અને જંતુનાશક ઝેરી હવાઓના છંટકાવથી ઝેરી બન્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005616
Book TitleVishvamangal Granthmala Part 04
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy