SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ તો કઈ વેપારી વળી પિતાના વેપારમાં મંદિરને ભાગ રાખીને નફામાંથી મંદિરને ભાગ મંદિરમાં મોક્લી આપતા. - પિતાના વડીલેની અને પિતાની મૃત્યુતિથિએ મંદિરમાં એકલી તેગ ધરાવાય, ગાયને ઘાસ ખવડાવાય અને બ્રાહ્મણની નાત જમામય એવી વ્યવસ્થા કરતા. જે વ્યવસ્થા વંશપરંપરા તેમના વારસ ચાલુ રાખતા. અમુક અમુક ચોક્કસ પર્વોના દિવસે બ્રાહ્મણને અને ગરીબોને અનાજ અને વસ્ત્રો આપવાની વ્યવસ્થા કરતા, જે તેમના વંશવારસે પણ ચાલુ રાખતા. જ્યાં જ્યાં પાણીની અછત જણાય ત્યાં વાવ, કૂવા કે તળાવ ખોદાવી આપતા. - દરેક સદાવ્રતમાં સાધુસંન્યાસીઓને પિતાના તરફથી અમુક સંખ્યામાં જ જમાડવા માટે અલગ ભંડોળ રાખતા. | દરેક શહેરમાં અને ગામડામાં પણ ધર્મશાળા બંધાવતા. બદલાયેલા સંજોગોમાં મંદિર અને પાંજરાપોળ તેમજ ગૌશા-ળાઓ દાન આપવાનાં મુખ્ય કેન્દ્રો બની ગયાં. હિંદુ પ્રજાના ધર્મ અને સંસ્કૃતિનાં બીજ આ બે સ્થળેએ સચવાઈ ગયાં હતાં, એટલે અંગ્રેજોએ પિતાની પ્રચાર-તે તેમની સામે તાકી. નવી કેળવણી લેતી પેઢી એ પ્રચારમાં ફસાઈ ગઈ. દાનના પ્રવાહ દિશા કેમ બદલી ?, : આ પ્રચારના મુખ્ય મુદ્દા આ હતા. મંદિરના અધ્યક્ષે બધા ભ્રષ્ટાચારી અને ચારિત્ર્યહીન છે, તેઓ કાંઈ શ્રમ કર્યા વિના લોકેની સંપત્તિ ઉપર તાગડધિન્ના કરે છે, દેશમાં લેકે ભૂખે મરે છે, ત્યારે બ્રાહ્મણો કાંઈ શ્રમ કર્યા વિના લાડુ ઉડાવે છે. સદાવ્રતો ચલાવીને આપણે આળસુઓને ઉત્તેજન આપીએ છીએ. ખેડાં ઢોરોને પાંજરાપળમાં સાચવીને દેશ ઉપર આર્થિક બેજે વધારીએ છીએ. સારાં પશુએને ભૂખ્યાં રાખીને માંદાં પશુઓને ખવડાવીએ છીએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005616
Book TitleVishvamangal Granthmala Part 04
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy