SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ અનાજના બદલામાં તેલ, ગેળ વગેરે ચીજો મળતી. શહેરોમાં પણ બાજરાના બદલામાં બેર, રાયણ, કરમદાં જેવાં ફળ છૂટથી મળતાં. જે કાંતનારાઓને પૂરી આવકના બદલે અનાજ મળે તે ખાદીને ઉત્પાદન ખરચ સ્થિર રહી શકે. પણ અનાજને ચલણી નાણું બનાવવું હોય અને એ નાણાને ફુગા કરી ભાવેને વધતા અટકાવવા હેય: તે તેની સહુ પ્રથમ શરત સંપૂર્ણ ગેરક્ષા અને જલરક્ષા કરીને. જમીનને વધુ સમૃદ્ધ બનાવી ઉત્પાદન ખરચ નીચું લાવવાની છે. એ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પ્રજાના દુર્ભાગ્યે આ વિષયને કદી વિચાર જ કરવામાં આવ્યું નથી. બજાર અવશ્ય છે. એવી દલીલ કરવામાં આવે છે કે ગામડાંઓમાં ખાદી માટે બજાર નથી. રેટિયાથી આવી મેઘવારીમાં પેટ ભરાય તેટલું વળતર મળી શકે નહિ, અને આ વિકાસ પામી રહેલા વૈજ્ઞાનિક યુગમાં ખાદી અને ટિયાને કોઈ સ્થાન નથી. હું આગળ જણાવી ગયું છું કે ખાદી એ મહેને આર્ય પ્રજાની સંપૂર્ણ વૈજ્ઞાનિક શેલ છે, અને એક મહાન અર્થશાસ્ત્ર છે. બજાર નથી એ દલીલ નાપાયાદાર છે. આજના રાજદ્વારીઓએ સંપૂર્ણ અહિંસક અને નિરામિષાહારી પ્રજાને, જે ઇંડાં અને માછલીને, અડતાં પણ અભડાતી તેને તે ખાલી કરીને વિશાળ બજાર બેલી. નાખ્યું છે. કબૂતરને ચણ નાખનારી પ્રજાને ઘેટાં અને ડુક્કર કાપતી કરી દીધી છે. અને દશ હજાર માઈલ દૂર બેઠેલા પરદેશીઓએ, ગામડાંના લેકે કે જેમણે કેકાડેલાનું નામ પણ નહોતું સાંભળ્યું તેમને મફત મળતા પાણીને બદલે મેંઘાદાટ કોકાકોલા પીતા બનાવી દીધા, ગામડાંની હાટડીમાં પણ પિપરમીટ અને ઍકલેટ પહોંચાડી. દીધાં, અને જે કેમની સ્ત્રીઓ છેક ૧૫૦ની સાલ સુધી કાંતેલ અને હાથે વણેલ ઊનનાં કપડાં સિવાય બીજા કપડાંને હાથ પણ અડાડતી, નહિ, તે સ્ત્રીઓને નાયલેનની ફેશનેબલ સાડીઓ પહેરતી કરી દીધી છે. આમ યંત્રોદ્યોગપતિઓ અને રાજદ્વારીએ જ્યાં શૂન્યમાંથી સર્જન, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005616
Book TitleVishvamangal Granthmala Part 04
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy