SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ દૂધને પાઉડર અને ૫૦ કરોડ રૂપિયાનું બટર આઈલ આપણા દેશમાં. મોકલીને પરદેશી ડેરીએ સમૃદ્ધ થાય છે અને સમાજવાદી ન્યાય પ્રમાણે દેશની પ્રજામાં ઘેરઘેર ગરીબીની વહેંચણી થાય છે. ઈ. સ. ૧૯૨૧માં અહીંથી ર૨૨ ગાંસડી રૂની નિકાસ થઈ. ૧૮૦૫માં ૨૪૫૩ ગાંસડી, ૧૮૦લ્માં ૪૦૭૮૧, ૧૮૧૪માં ૨૧૫૮૭, ૧૮૧૬માં ૮૫૨૪, ૧૮૧૮માં ૧૨૮૧૨૪, ૧૮૭૬માં ૧૫૧૦૧ ગાંસડી રૂની નિકાસ ભારતમાંથી થઈ. * આ તમામ રૂનું કાપડ ભારતમાં બની શકહ્યું હતું. પરંતુ જુલમ અને જુલમી જકાતનીતિ દ્વારા રેટિયા અને ખાદીને ગૂંગળાવી, દેશમાં બેકારી અને ગરીબીને ફેલવે કરી રૂ અહીંથી ખેંચી જઈને તેમનું ઍવા ભાવનું અને ખાદી કરતાં ઊતરતી કેટિનું કાપડ આ દેશમાં તેઓ ઠાલવવા લાગ્યા. બેકાર વણકર ધંધે ગુમાવી ખેતમજૂરે તરીકે ખેતરમાં કામ કરવા લાગ્યા. જમીન ઉપર બેને વધવા લાગે અને તે સમયે આપણી હાથબનાવટની ખાંડ જે બંગાળ, બિહાર અને ઉત્તરપ્રદેશને મેટો ગૃહઉદ્યોગ હતી તેના ઉપર પણ અમાનુષી જકાત નાખીને આપણા ખાંડના ગૃહઉદ્યોગને પણ ગૂંગળાવી નાખે. આવા જુલમથી ત્રાસેલી ભારતની પ્રજાએ ૧૮૪૭માં બળવે કર્યો. લડાઈ એક વરસ ચાલી. આખરે ભારતની પ્રજાને પરાજય થયું. ઇસ્ટ ઈન્ડિયા કંપની પાસેથી ભારતને રાજ્યવહીવટ રાણી વિકટોરિયાએ સંભાળી લીધે. ખાદીના નિકંદનનું કાર્ય પૂરું થયું હતું. પરંતુ કેઈ પણ સમયે એના પુનરુત્થાનની શકયતા તેઓ રહેવા દેવા માંગતા ન હતા. એને જ્યાં સુધી ભારતની ગાય દરેક ઘરમાં ઊભી હતી અને ભારતનું ગેસંવર્ધન ચાલુ હતું ત્યાં સુધી ખાદીની પુન:પ્રતિષ્ઠાની શક્યતાને નકારી શકાય તેમ ન હતું. [* Economic History by R. C. Dute, Vol. I, Page 204) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005616
Book TitleVishvamangal Granthmala Part 04
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy