________________
લાગતા વળગતા પ્રધાનના ખાનગી હિત સિવાય બીજું કોઈ કારણ હશે ખરું?
અને બળ કાઢી નાખી ખેતી ઉપર ટ્રેકટરે જે ૨૪૬૦૦ કરોડ રૂપિયાને બેજે, અથવા ૨૪૬૦ કરેડ રૂપિયાને ડેપ્રિસીએસનને
જે નાખીને ખેડૂતને દેવાદાર બનાવી દેશને કઈ રીતે સમૃદ્ધ કરી શકાય. અને દર વરસે ૫,૦૦૦ કરોડ રૂપિયાની પશુરૂપી થાપણનો નાશ કરીને ગામડાઓને સમૃદ્ધ બનાવવાની વાતે લેકેને છેતરવાની ચાલબાજી નથી.
ઉપરને આંકડા વિગેરેથી સ્પષ્ટપણે સમજી શકાશે કે ભારતને વનસ્પતિ ઉદ્યોગ ક્યારે પણ સમરત પ્રજાને ૨૫ ગ્રામ પણ વનસ્પતિ પૂરાં પાડી શકે તેમ નથી.
તેના બદલે તેને વનસ્પતિ ઉદ્યોગને દેશમાંથી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે તે સમસ્ત પ્રજાને પૂરતા પ્રમાણમાં દૂધ અને ઘી પહોંચાડી શકાય. - ભારતની અંદર દૂધની અને ઘીની નદીઓ વહેવડાવવાનું સ્વપ્ન વનસ્પતિ ઉદ્યોગને દેશવટે દેવાથી જ સાકાર કરી શકાશે. ઉત્પાદન વધવા છતાં ભ્રષ્ટાચાર
ઈ. સ. ૧૯૫૦-૫૧ ના વરસ કરતાં ૧૭૧-૭૨ના વરસમાં વધુ પાંચ લાખ ટન સીંગતેલનું ઉત્પાદન થયું. છતાં વધારાના એ પાંચ લાખ ટન તેલ ઉપરાંત બીજું ૮૦ હજાર ટન એટલે કે કુલ પાંચ લાખ એંસી હજાર ટન સીંગતેલ વનસ્પતિ ઉદ્યોગમાં વપરાઈ ગયું છતાં વનસ્પતિ ઉદ્યોગ પ્રજાની જરૂરિયાતને પહોંચી શકે નહિ. કારણ કે વધુ સીંગદાણા ઉગાડવાની નીતિથી ખરીફ અનાજના વાવેતર ઉપર કાપ પડે. ખરિફ અનાજની ઘટ પૂરી કરવા ઘઉંનું વાવેતર વધાર્યું. જેથી ખરિફ અનાજમાંથી મળતા ઘાસચારાની ઘટ આવી. ઉપરાંત શિયાળુ પાકમાં ઘાસચારાને બદલે ઘઉં ઊગાડ્યા એટલે શિયાળુ પાકમાં ઘાસચારે ન મળે. જેથી ઘાસચારાની તંગીને કારણે પશુઓ માર્યા ગયા. દૂધ, ઘીની તીવ્ર અછત થઈ, અને શુદ્ધ ઘીની જે ઘટ આવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org