SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ લંટી બાળીને ચાલ્યા ગયે. તે શું મરાઠાઓ ઘોડેસવા કરતાં મહમદના પાયદળની અને તેના બિનલશ્કરી રસાલાની ઝડપ વધારે હતી? ભીમદેવ વિશે હડહડતું જુઠાણું. તવારીખકારોના કથન મુજબ ભીમદેવ મહમૂદથી ડરીને પાટણ છેડી નાસી ગયે, એ વાત પણ માનવા જેવી નથી. ભીમદેવ સમર્થ સેનાની હતા, મગધમાં તેની કીતિ પ્રસરી હતી અને માગધી તેમ જ બીજી ભાષાઓમાં તેનાં વખાણની કવિતાઓ થઈ હતી. તેણે સિંધના હમીર સુમરને હરાવ્યું હતું, તેમજ દશાર્ણવ, કાશી, પંડ, આંધ, ચેદી, તેલંગણ વગેરે દેશના રાજાઓને હરાવ્યા હતા. તેના ઘડાઓએ ગંગાનું પાણી પીધું હતું અને કાવેરી નદીમાં પગ ધેયા હતા. આ બધા વિજ કરીને જ્યારે તે પાછો પાટણ આવ્યું ત્યારે પ્રજાએ બહુ માટે ઉત્સવ ઊજવ્યું હતું, કારણ કે ભીમદેવના રાજ્યમાં કોઈ પરદેશી સંકટ આવ્યું ન હતું. અંદરના તેમ જ બહારના શત્રુઓથી પ્રજાને પરતું રક્ષણ મળતુ' (હેમચંદ્રસૂરીના ગ્રંથ ધયાશ્રયના આધારે ફાર્મસની સમાળામાંથી ફાર્બસ લખે છે કે શ્રી હેમચંદ્રસૂરીના આ કથનનું બીજા લેખકો પણ સમર્થન કરે છે.) | બહુ મોટા સૌ સિવાય, રૌને હેરવાની કુનેહ, તેમ જ દૂરદૂરના પ્રદેશો સુધી એ સૈન્યને પુરવઠો પહોંચાડવાની વ્યવસ્થાશક્તિ સિવાય આવા વિજયે મેળવી શકાય નહિ. ફખ્ખી લખે છે કે ભીમદેવનું રૌન્ચ ૨૦૦ હાથી, એક લાખ ઘોડેસવાર અને ૯૦ હજાર પાયદળનું બનેલું હતું. આવા મોટા સૌન્યને અધિપતિ અને સમર્થ સેનાની ૩૦ હજાર થાકેલા-ઘવાયેલા ડેસવારોથી ડરીને, તે સમયની સમૃદ્ધ નગરીઓમાં જેની ગણના થતી એ પાટણનગરીને અને પ્રજાને મહમૂદની દયા ઉપર છોડીને નાસી જય એ માત્ર ઉપજાવી કાઢેલી વાર્તા છે. મહમૂદ ખરેખર આવ્યું હોય તે ભીમદેવ તેને દરવા અથવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005615
Book TitleVishvamangal Granthmala Part 03
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy