SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સેમિનાથ પર ગઝનીનું આક્રમણ શ્રી વેણીશંકર વાસુ એક પરીકથા? મહમૂદ ગઝનીએ ગુજરાત ઉપર સવારી કરી તેમનાથનું મંદિર તેડયું એ વાર્તાનું ચણતર બહુ નબળા પાયા ઉપર થયું છે. મુસ્લિમ તવારીખકારેની તવારીખને આધારે મહમદ ગઝનીની ભારત ઉપરની સવારીઓને ઈતિહાસ લખાવે છે. પણ એ સ્વારીઓ કેટલી હતી ? ૧૨ કે ૧૬? તે વિશે તવારીખકારે એકમત નથી. તેમની તવારીખેને આધારે અંગ્રેજ ઈતિહાસકારોએ પણ ઈતિહાસ લખે છે, છતાં ઇલિયટને એક સ્થળે લખવું પડ્યું છે કે આ પરીકથા જેવું લાગે છે. તેમ છતાં ગુજરાત ઉપરની સવારી અને સેમિનાથના શિવલિંગનાં ખંડન વિશે ખૂબ વિસ્તારથી લખાયું છે, અને ચબરાક અંગ્રેજોએ હિંદુ-મુસ્લિમ વચ્ચે વેર-ઝેર વધારી તેમને લડાવવામાં એ સવારીના ઈતિહાસને ખૂબ ઉપયોગ કર્યો છે. - શ્રી હેમચંદ્રસૂરિએ ઉલ્લેખ કર્યો નથી. ન મુનિ હેમચંદ્રસૂરીએ અને શ્રી મેરૂતુંગાચાર્યું ગુજરાતના સોલંકી વંશને ઇતિહાસ લખે છે. મહમૂદ ગઝનીના સમય પછી લગભગ ૭૫-૧૦૦ વરસના ગાળામાં હેમચંદ્રસૂરી થઈ ગયા. પણ તેમણે આ ચડાઈને કશે ઉલ્લેખ કર્યો નથી. ગુજરાતના વિદ્ધાને લખે છે કે મુસ્લિમ તવારીખકારોનાં વર્ણને એકબીજાથી બહુ જુદાં પડે છે. પણ તેમણે આટલું બધું લખ્યું છે ત્યારે કંઈક તે બન્યું જ હશે ને? જ્યારે હેમચંદ્રસૂરી વિશે લખે છે કે તેઓ ગુજરાતના આશ્રિત હેવાથી તેમની કીતિને ઝાંખપ લાગે એવું લખવાથી તેઓ દૂર રહ્યા હશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005615
Book TitleVishvamangal Granthmala Part 03
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy