SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ -હારી બન્ને પ્રકારનાં પ્રાણીઓ જન્મતાં જ માતાનું દૂધ પીએ છે અને મેટાં થાય છે) કફકારક, બુદ્ધિ વધારનાર, વાજીકરણ, અવસ્થાસ્થાપક, આયુષ્યકારક અને રસાયણ છે. એજસ વધારનારું છે. આપણે ખોરાક ખાઈએ છીએ તેનું દર પાંચ દિવસે નીચેના ક્રમમાં રૂપાંતર થાય છે. (૧) રસ, (૨) રકત, (૩) મેદ [ચરબી, (૪) માંસ, (૫) અસ્થિ હાડકા] (૬) મજજા [હાડકાંમાં વચ્ચે દેખાતે પીળા પદાર્થ], (૭) વીર્ય, અને (૮) એજસ. દૂધ જીર્ણજવર, માનસિક રેગે, શેષ, મૂચ્છ, શ્રમ, સંગ્રહણ, પાંડુરોગ, દાહ, તૃષા, હૃદયરોગ, શૂલ, ઉદાવર્ત ગુલ્મ, રક્તપિત્ત, નિરેગ, શ્રમ અને ગર્ભસ્ત્રાવમાં હમેશાં ઉપયોગી છે.” બાલક, વૃદ્ધ, ભૂખથી અથવા અતિ મૈથુનથી ક્ષીણ બની ગયા . હોય તે તમામ, દૂધ પીવાથી ફરીથી સશક્ત બને છે. જે લેક ખાવાથી બળતરા પેદા કરે એવા આહાર કે પીણ લેતા હોય, તેમણે ભેજન કર્યા પછી અવશ્ય દૂધ પીવું જોઈએ જેથી દાહ શાન્ત થાય છે. જે પ્રાણીને કાન હોય તે પ્રાણીની માદાને સ્તન હેય છે. અને તે માદા બચું જન્મતાં જ તેને પિતાનું દૂધ ધવડાવીને ઉછેરે છે. આવાં પ્રાણીઓમાં ઉંદરથી હાથી સુધીના તમામ વનસ્પત્યાહારી અને માંસાહારી પ્રાણીઓ આવી જાય છે. મનુષ્ય જે જે પ્રાણીના દૂધનો ઉપયોગ કરે છે તે તે પ્રાણના દૂધના ગુણદોષ વિષે આયુર્વેદે સંશોધન કર્યું છે. - આયુર્વેદ મત પ્રમાણે જુદાં જુદાં પ્રાણુઓના દૂધના ગુણદોષ માતાનું દૂધ: માતાનું દૂધ પુષ્ટિકારક, પચવામાં ખૂબ સહેલું, તૃપ્તિ આપનાર, આંખેનાં દરદ દૂર કરનાર છે. (નાનાં બાળકોની આંખ દુખવા આવે કે લાલ થઈ જાય કે તરત આંખનાં દરદોમાં માનું ધાવણ બબ્બે ટીપાં આંખમાં નાખવાથી અને માના દૂધનાં પિતાં આંખ ઉપર મૂકવાથી. આંખના રોગ મટી જાય છે.) દૂધ પિત્તનાશક અને લેહીના વિકારનું શમન કરનાર છે. આંખમાં ફૂલું હોય તે આંખમાં માના ધાવણનાં ટીપાં નાંખવામાં આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy