________________
૭૨
દેશના કાપડ કરતાં ૫૦ થી ૬૦ ટકા ઓછા ભાવે વેચી શકતા. યુરેપી રાજાએ આપણા કાપડ ઉપર ભારે આયાતવેરા નાખ્યા છતાં પણ તેમનું કાપડ આપણા નીચા ભાવ અને ઊંચી જાત સામે ટકી શકતું નહિ એટલે અંગ્રેજોએ સહાયની જાળ બિછાવી.
આપણું કાપડના કારીગરો સાથે અમુક જથ્થાના કાપડ લેવાના કરાર કર્યા અને તેની કિંમતને અમુક ભાગ તેમને સહાય રૂપે અગાઉથી આપીને તેમને માલ અંગ્રેજ વેપારીઓને આપ્યા પહેલાં બીજા દેશના ફ્રેચ, વલંદા, પિટુગીઝ વગેરે વેપારીઓને ન આપે એવી શરતે કરાવી લીધી.
અને પછી તરત જ માલની માગણી કરવા લાગ્યા તકાદે કરવા લાગ્યા. તેઓ રાતદિવસ મહેનત કરીને પણ જલ્દી કાપડ તૈયાર કરે માટે તેમના ઉપર એ વણકારોને ખર્ચ ચેકિયાતે મૂક્યા.
આ કિયાતે વણકારોને માર મારતા. તેમની સામે અંગ્રેજી કેડીએની અદાલતમાં કરારભંગના ખટલા મંડાતા જ્યાં વણકરેને ભારે સજા થતી. (ઈકેનેમિક હિસ્ટ્રી ઓફ ઈન્ડિયા. આર. સી. દત્ત).
રાજવીઓ કે નવાબે વણકરને રક્ષણ આપવા અશક્ત હતા, કારણ કે તેઓના ગળામાં પણ સહાયના કરારના ફાંસલા હતા.
જુલમની માત્રા એટલી હદ સુધી વધી ગઈ કે હજારો કારીગરેએ-ઢાકાની બારીક મલમલ બનાવનારાઓએ પિતાના હાથના અંગુઠા કાપી નાખ્યા, જેથી કાપડ વણી શકાય નહિ અને જુલમથી મુક્ત રહેવાય.
અર્થતંત્રનો પ્રવાહ ઉલટાઈ ગયે આ સહાયના કરારની ઘેરી અસર સમસ્ત રાષ્ટ્ર ઉપર પડી તે સમયના બિહારના માત્ર છ જિલ્લાઓમાં ૬૪,૭૬૮ કાપડ વણવાની શાળ બંધ પડી અને ૧૪,૩૦,૫૨૬ કાંતનારી બાઈઓએ ચરખા બંધ કરીને પિતાની કાયમી પૂરક આવક ગુમાવી.
ચારે વર્ણની સીએ પિતાના ફાજલ સમયમાં ચાર ચલાવીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org