________________
નોરથ કાર્યા,
, અને જીવવાની, અને
જૂની પેઢીના વડીલે પાસેથી જે સાંભળીએ છીએ, એ તે માત્ર ભાટચારણેએ ઉપજાવી કાઢેલા કલ્પિત ગબારા જ છે. અંગ્રેજોએ જ આપણને કેળવ્યા, સુધાર્યા, જ્ઞાન આપ્યું અને સંગઠિત પ્રજામાં ઠેરવી નાખ્યા...”
આવી માન્યતાઓ પ્રજાની સ્વતંત્ર વિચાર કરવાની શક્તિને હણી નાખી છે. મૌલિક સૂઝને હણી નાખી છે અને જીવનના દરેક પ્રશ્નો. પશ્ચિમની ઢબે વિચારવાની, પશ્ચિમની ઢબે તેમને ઉકેલવાની, અને પશ્ચિમની નકલ કર્યા કરવામાં અભિમાન લેતા કરી મૂક્યા છે.
કેવી કમનસીબી જગતભરમાં ભારત સહુથી મોટો ખેતીપ્રધાન દેશ, અને જગતભરમાં ભારત જ એક એ દેશ છે કે જે પિતાની ખેતી માટે ખાતર અને તમામ જરૂરની ખાદ્ય વસ્તુઓ જેમ કે અનાજ, દૂધ, ઘી, તેલ માખણ વગેરે મોટા ઔદ્યોગિક દેશ પાસેથી મેળવીને પરદેશીઓની વહેંચણીના ધરણની નકલ પ્રજાને પૂરી પાડવાના પ્રયાસ માટે ગૌરવ અનુભવે છે !!! “
જગતમાં ભારત જ એક એ દેશ છે, જેની કેળવણીનું માળખું પરદેશીઓએ ઘડી આપ્યું છે, અને વિદ્યાપીઠનાં પુસ્તકો પણ પરદેશીએએ તૈયાર કરી આપ્યા છે અને જગતમાં ભારત જ એ દેશ છે. જેના રાજદ્વારી, ધાર્મિક, વેપારી કે કેળવણી ક્ષેત્રના આગેવાને પિતાને જે કહેવાનું છે તે પિતાની માતૃભાષા કે ભારતની બીજી કોઈ ભાષામાં કહેવાને બદલે અંગ્રેજી ભાષામાં વધુ સારી રીતે કહી શકે છે અને તેમ કરવામાં ગૌરવ અનુભવે છે. :
શિક્ષણ પણ પરદેશી ભાષામાં! - ભારત જ એક એ દેશ છે, જ્યાં પિતાનાં બાળકને માતૃભાષામાં કેળવણી આપવાને બદલે માબાપે પિતાનાં સંતાનેને અંગ્રેજી માધ્યમમાં નિશાળ ચાલુ કરવા પાછળ અને તે પ્રકારની કેળવણી પાછળ દર વરસે કરડે રૂપિયા ખર્ચે છે. '. આ જંગી રકમને ઉપગ, તેઓ માતૃભાષાના સાહિત્યના વિકાસ માટે, ધર્મની ખૂટી ગએલી આવૃત્તિઓના પુનઃમુદ્રણ માટે, આપણું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org