SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ સ્ત્રીઓએ તેમની તમામ લજજા, મર્યાદા છોડીને ઉઘાડામાં જાહેર રસ્તા ઉપર સંડાસ જવું પડે છે. રેલવેના પાટાની આસપાસ વિસ્તરેલી ઝૂંપડપટ્ટીના નિવાસીઓ રેલવે નીચે કપાઈ જાય છે. ઝૂંપડપટ્ટીઓમાં દાદાઓ પણ હોય છે. તેઓ તેમને સતાવે છે. તેમની સ્ત્રીઓને અપમાનિત પણ કરે છે અને તેમનાં બાળકને પિતાની સમાજવિરોધી પ્રવૃત્તિઓનાં હથિયાર પણ બનાવે છે. માંડ ક્યાંક નેકરી મળે છે ત્યારે કુટુંબને મરદ આઠ કલાક નોકરી કરે છે, ત્રણ કલાક રેલવે કે બસની મુસાફરીમાં કાઢે છે. ટ્રેઈની આ મુસાફરીમાં આઠ કલાકની કરીને શ્રમ કરતાં પણ વધુ શ્રમ પડે છે અને તેમની શક્તિને હાસ થાય છે. અગિયાર કલાકની મજૂરી પછી પુરુષ જ્યારે ઘેર આવે છે ત્યારે તેને શું મળે છે? ઝૂંપડપટ્ટીની આસપાસ ફેલાએલી. દુર્ગધ, મચ્છરનાં ધાડાં, ઉદાસ ચહેરાવાળી પત્ની, રડતાં માંદાં બાળકે અને રેશનમાં કેસીન ન મળ્યું હોય કે એ ખરીદવાના પૈસા ન હોય તે ફરજિયાત એકટાણું કરવું પડશે એની જાણકારી અને પિતાની નજર સામે ધૂળમાં આળેટી રહેલાં બાળકોની તંદુરસ્તીની, શિક્ષણની અને તેમને કઈ રીતે ઉછેરવાં તેની કાળજી કેરી ખાતી ચિંતા. જ્યારે આવી પદ્ધતિના જીવનને જંગાલિયત ગણાવતા મૂડીવાદીએ લખપતિમાંથી કરોડપતિ બનવાના, એમ્બેસેડર ગાડીમાંથી પરદેશી ગાડી. ખરીદવાના, વીસ મજલાનાં મકાનમાં અદ્યતન ફિનિચર અને સાધનસગવડ વસાવવાના અને રાજદ્વારીઓને પિતાની હથેળીમાં નચાવવાના તથા પરદેશમાં જઈને ભેગવિલાસ ભેગવવાનાં અરમાને સેવતા હોય. છે. ત્યારે આ બિચારા લાખે ઝૂંપડપટ્ટીવાસીઓના જીવનમાં અંધકાર છવાઈ ગયે હેય છે. જીવનના એ ઘેર અંધકારના પ્રતીકરૂપે તેમની ઝૂપડપટ્ટીમાં પણ અંધારું છવાઈ ગયું હોય છે. એ આશા ફળશે? તેઓ તે પ્રભુને એક જ પ્રાર્થના કરતા હોય છે કે, “હે. ભગવાન! અમને રહેવા માટે સારી જગા, પાણી, બત્તી અને સંડાસની. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy