SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ આર્થિક ઉત્કર્ષ ના નામે હરિજના અને આદિવાસીઓને અઢી એકર જમીન આપવામાં આવે છે, તેમની પાસેથી પશુ ‘તમે નિષ્ફળ ગયા છે,' કહીને અને રાષ્ટ્રીય જરૂરિયાતના બહાના નીચે એ જમીનેા પાછી આંચકી લઈ તેમને માટાં વિશાળ ખેતરામાં મજૂરી કરવાની ફરજ પાડવામાં આવે તે નવાઇ પામવા જેવું નથી. રશિયામાં અને ચીનમાં આમ જ બન્યું છે. સમગ્ર પ્રજા ઉપર ગુલામી ઠોકી બેસાડવામાં આવી હતી, અને તેમ કરવા જતાં રશિયામાં એક કરોડ ખેડૂતને (મેમઇર એક વાર ચિચલ ) અને ચીનમાં ત્રણ કરોડ ખેડૂતને (કોમ્યુનિસ્ટ ચાઇના, કે. ચંદ્રશેખર ) ગોળીથી મારવામાં આવ્યા હતા. જે ખેડૂતે આજે ખેડૂતાના હિતના ઝુંડો લઈને ફરતા સ્વાર્થી રાજદ્વારીઓના હાથનાં પ્યાદાં બનીને ભાવા વધારવાની, રાકડિયા પાકો ઉગાડવાની, ખેતપેદાશ નિકાસ કરવાની માગણીએ કરી રેલીએ ચેાજે છે, તેમને તેમની સામે ભવિષ્યમાં લશ્કરની ગાળીઓને વરસાદ વરસવાના છે તેની કલ્પના પણ નહિ હાય. વિનાશક આંધી આવી રહી છે ૨૦ વરસમાં આપણે ૨૯૪૦ રેલવે એન્જિન, ૧૬૨૦૧ ઉતારુઓ માટેના ડખા ( આમાં ઘણા તે। આયાત કરેલા છે) અને ૧૭૬૮૪૯ વેગન બનાવી શકયા છીએ. ( ઇન્ડિયા ૧૯૭૪, પાનું ૨૮૫) ત્યારે એક કરોડ ટ્રેકટરા મનાવતાં કેટલાં વરસ લાગે ? આપણી પાસે એટલી મૂડી પણ નથી, એટલું સ્ટીલ પણ નથી, એટલે આપણે તે આયાત કરવા સિવાય છૂટકો જ નથી. સરકાર આવું આપઘાતક પગલું લઈ રહી છે. પ્રજાને પાતાની રાજમરાજની યાતનાઓની પીડામાંથી આ આ બધું સમજવાની સૂઝ નથી. એક મહાન વિનાશક વિશાળ આંધી આપણને ગળી જવા આગળ વધી રહી છે, તેનું પરિણામ શું આવશે? પ્રજાના વિનાશ ? કે આ દુષ્કૃત્ય કરનારા અસુરોને વિનાશ, તે કહેવું. મુશ્કેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy