SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ બળદની કિંમતમાં વધારે કેમ થશે અંગ્રેજોએ ગોવંશની કતલ શરૂ કરી તે પહેલાં બળદની એક જેડીના છ થી બાર રૂપિયા હતા. કતલ વધતી ગઈ તેમ તેમની કિંમત વધતી ગઈ. બીજા વિશ્વયુદ્ધ વખતે એટલે કે ઈ. સ. ૧૯૪૦-૪પમાં ભારતમાં આવેલાં ગોરા લકરે માટે પશુઓની જે અભૂતપૂર્વ કતલ થઈ તેથી બળદની જેડના ભાવ રૂ. ૨૦૦ થી ૪૦૦ સુધી થઈ ગયા. અને સ્વાધીન ભારતમાં નહેરુ સરકારે નાનાં વાછડાં અને ગાયે ઉપર જે વિનાશ વેર્યો તેથી તેમની સંખ્યા એટલી ઓછી થઈ ગઈ કે બળદની જોડના ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા થઈ ગયા. અને પશુ વિનાશને એ ક્રમ નહેરુની અનુગામી સરકારેએ વધુ ઝડપથી ચલાવ્યું એટલે આજે બળદની જેની કિંમત ચારથી પાંચ હજારની થઈ ગઈ છે. બળદો મળી જ ન શકે તેવી સરકારી ચાલ સરકારના કૃત્યે ઉપરથી એમ માનવાને કારણ મળે છે કે તે એવી સ્થિતિ પેદા કરવા માગે છે કે બળદો ગમે તેટલા વધુ ભાવે પણ - મળી શકે જ નહિ, અને ખેડૂતોને ફરજિયાત ટ્રેકટરે, ફર્ટિલાઈઝર અને જંતુનાશક દવાઓને ઉપયોગ કરવો જ પડે. ફર્ટિલાઈઝર અને જંતુનાશક દવાઓમાં તે સરકારેએ પિતે જ પિતાનાં ઊંડા હિત પદા કર્યા છે. - આજે તે ખેડૂતે ૬૫ હજારનું ટ્રેકટર ખરીદવા કરતાં પણ ૧૫ હજારની બળદની જોડી લેવાનું પસંદ કરે પણ તે તેમને મળે જ નહિ. માટે ગની, વાછડાંઓની, બળદની એક યા બીજા કારણે કતલ થવા દઈને અને તેમની સંખ્યા ઝડપથી ઓછી કરવા આવતા પશુઓની પણ નાપાયાદાર વાહિયાત કારણે બતાવી નિકાસ કરી નાખવાની ક્રિયા ચાલુ છે. તે બીજી તરફથી ટ્રેક્ટર, ફર્ટિલાઈઝર અને જંતુનાશક દવાઓ માટે ધિરાણ કરવાની નીતિ પણ અમલમાં છે, અને ટ્રેકટરની આયાત ઉપરની આયાત-જકાત ઘટાડીને તેને સસ્તાં બનાવવાને પણ પ્રયત્ન થયે છે . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy