SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ ટકાને અને ઈ. સ. ૧૯૪૭ થી ૧૯૬૬ સુધીનાં વીસ વરસના ગાળામાં દવાનાં ઉત્પાદનમાં ૧૬૫૦ ટકાને જંગી વધારે થાય છે. સ્વતંત્ર ભારતમાં કદાચ સહુથી વધુ ઉત્પાદન–વધારે દવાને થયે છે. દવાને ઉત્પાદન-વધારે શું સૂચવે છે? દવાને આ રાક્ષસી ઉત્પાદન વધારે દેશની આર્થિક, સામાજિક કે ઔદ્યોગિક પ્રગતિ નથી દેખાડતે, પણ પ્રજાનું આરોગ્ય કેટલું કથળી ગયું છે તે બતાવે છે. દવાને મુખ્ય વપરાશ મોટાં શહેરોમાં જ થાય છે. ગામડાંમાં દવા પૂરી પહોંચતી નથી. ગામડાંમાં માણસ પાસે દવા ખરીદવાના પૈસા પણ નથી. શહેરમાં પણ લાખે મધ્યમ વર્ગના માણસે ખાસ કરીને ગુમાસ્તા, ફેરિયા અથવા નાના વેપારીઓ પૈસાના અને સમયના અભાવે દવા વિના માંદગીની યાતના સહન કરતા હોય છે, જે આ તમામ રેગીઓને દવા આપવી હોય તે બે અબજ રૂપિયાથી વધુ કિંમતની પિદા થતી દવા પૂરી પડે નહિ. on જમીનમાં ફર્ટિલાઈઝર નાખવાથી છોડનાં મૂળ વધુ ઊંડાં જાય છે અને વધુ વિસ્તારમાં ફેલાય છે. આથી જમીન સખત થઈ જાય છે અને તેને ખેડવામાં બળદને બહુ મહેનત પડે છે. ગજા ઉપરાંતની મહેનત કરવાથી બળદ નબળો પડી જાય છે. ભરજુવાનીમાં જ તેને બદલી નાખવું પડે છે. આમ ખેડૂતને આઠથી દસ વરસને બદલે ચાર-પાંચ વરસમાં જ બળદ બદલી નાખે પડે છે. તેથી મેટું આર્થિક નુકસાન વેઠવું પડે છે. જ્યારે વરસે વરસ ફર્ટિલાઈઝર નાખવું પડે ત્યારે આખરે જમીન એટલી બધી સખત થઈ જાય છે કે બળદ તેને ખેડી શકતું જ નથી. તેથી ટ્રેકટર વડે જમીન તેડવી અને ખેડવી પડે છે. ઉપરાંત તેમાં ઉગાડાયેલા અનાજના છેડના સાંઠા એવા જાડા થાય છે કે પશુઓ તે ખાઈ શકતાં નથી. એટલે તેમને માટે જુદે ચારે ઊગાડે હોય તે ખેડૂતને વધારાને ખર્ચ ભોગવવે પડે છે. ફર્ટિલાઈઝર વાપરવાથી જમીનને, છેડને, બળદને, ખેડૂતને, પાની જાતને અને તે ખાનારને શું નુકસાન થાય છે તેની જાશુકારી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy