________________
ર૪૫ રૂપિયાની જનાઓ કરીને ભારતીય તેમ જ પરદેશી સ્થાપિત હિતેના ખેડૂતવર્ગને એ વર્ગની દયા ઉપર ફેકી દીધું છે. - ફર્ટિલાઈઝરનો ઉપયોગ અનાર્થિક અને અવહેવારુ છે
હવે ફર્ટિલાઈઝરનાં આર્થિક અને વ્યવહારુ પાસાં જોઈએઃ ભારતમાં દર વરસે ૪૦ કરોડ ૯૭ લાખ, ૫૦ હજાર એકર જમીન ઉપર ખેતી થાય છે. તેમાંથી માત્ર છ કરોડ, પ૭ લાખ, ૫૦ હજાર એકર જમીનને સિંચાઈની સગવડ છે. (ઇન્ડિયા ૧૯૭૪, પાનાં ૧૭૨, ૧૭૩) (આ સગવડ માત્ર કાગળ ઉપર જ છે. કારણ કે મોટા ભાગના કૂવા, તળા, નદીઓ સુકાઈ ગયાં છે અને વરસાદ ઓછો ” હેય ત્યારે નહેર પણ સુકાઈ ગયેલી હોય છે.)
સિંચાઈની સગવડ વિનાની અને માત્ર ચોમાસાના વરસાદ •ઉપર જ આધાર રાખતી બાકીની ૩૩ કરોડ, ૪૦ લાખ એકર જમીન ઉપર ફર્ટિલાઈઝર વાપરવામાં જોખમ છે. કારણ કે તે વાપર્યા પછી પાકને પાણી વધારે પ્રમાણમાં જોઈએ. અને અમુક ચોક્કસ સમયના અંતરે જ જોઈએ. જે પૂરતું પાણુ ચકકસ નિર્ધારિત સમયે ન મળે તે પાક બળી જાય. આ ૩૩ કરોડ, ૯૦ લાખ એકર જમીન માટે છાણિયું ખાતર જ આર્થિક તેમજ વહેવારુ દષ્ટિએ યોગ્ય છે. તેને માટે ૩૦ વરસમાં કશે પ્રયત્ન કરવામાં આવ્યું નથી. જ્યારે માત્ર ૭ કરોડ ૫૭ લાખ એકર જમીનમાં ફર્ટિલાઈઝર નાખવા અબજો રૂપિયા વેડફી નાખવામાં આવ્યા છે.
તપાસપંચ નીમો આશ્ચર્યની વાત એ છે કે ફર્ટિલાઈઝર નાખ્યા પહેલાં પણ જમીનમાં છાણિયું અથવા કેમ્પોસ્ટ ખાતર નાખવું જ પડે છે. એ પાયાની બાબતને અભરાઈએ ચડાવીને બીજા તબક્કાના ફર્ટિલાઈઝર પાછળ શા માટે અબજો રૂપિયા વેડફી મારવામાં આવ્યા? તેની તપાસ કરવી જોઈએ. જરૂર એની પાછળ ભારતીય અને પરદેશી હિત ધરાવનારી વ્યક્તિઓને હાથ હવે જાઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org