________________
[૧૯] ફર્ટિલાઈઝરઃ માતને વરસાદ આપણે ભારતવાસીઓ ભારતને ખેતીપ્રધાન દેશ ગણાવીએ છીએ અને ગૌરવ અનુભવવાનું ત્યારે જ સાર્થક બને જ્યારે ભારત દેશ વિશ્વમાં સહુથી સમૃદ્ધ ખેતી કરતે હેય અને વિશ્વમાં સહુથી સ્વાદિષ્ટ તેમ જ સ્વાશ્ય વધારનાર પૌષ્ટિક અનાજ પેદા કરતે હોય. - સમૃદ્ધ ખેતી કરવા માટે પાયાની આવશ્યક સાધને આપણી પાસે છે, પરંતુ આપણે તેની ઉપેક્ષા કરીને ખેતી અને ખેતી પાછળ રહેલી ઉચ્ચ ભાવનાને અધમ કક્ષાની બનાવી દીધી છે.
સમૃદ્ધ ખેતી માટે પાયાનાં આવશ્યક સાધન (૧) જમીનની જાત. (૨) જમીનનું યોગ્ય ખેડાણ જમીનને ત્રણ વખત ખેડવી. પછી તે ખેડાણ હળ વડે થાય કે ટ્રેકટર વડે થાય, તેમાં પાકના ઉતારમાં ફેર નથી પડત. પણ ટ્રેકટર વડે ખેડવાથી પાકને ઉત્પાદન ખર્ચ ખૂબ વધી જાય છે. જ્યાં સુધી ૧૨૫ મિલીમીટર વરસાદ એક સાથે ન પડે ત્યાં સુધી વાવેતર થઈ શકતું નથી. જે કદાચ નુકસાનીમાં પરિણમે ખરું. જયારે હળ વડે ખેતર ખેડયું હોય તે ૨૫ થી ૫૦ મિલીમીટર વરસાદ પડે તે પણ વાવણી થઈ શકે .
(૩) પૂરતું છાણિયું ખાતર પૂરતું ખાતર એટલે એકર દીઠ ૧૦ ગાડાના-૪ ટન, છાણનું ખાતર.
(૪) શુદ્ધ સારું બિયારણ સંકર બિયારણથી ખેતીને ઉત્પાદનખર્ચ વધે છે. પાક ૨૫ ટકા વધારે થાય, પરંતુ તેની કડબ-સાંઠા - પશુઓના ખાવાના કામમાં ન આવે જેથી વધારે મેળવેલા પાકની વધારાની આવક પશુઓ માટે ચારે ખરીદવામાં ખર્ચાઈ જાય. સંકર બિયારણ વડે ઉગાડાયેલાં અનાજમાં રગને પ્રતિકાર કરવાની શક્તિ નથી હોતી તેથી લેકમાં માંદગી ફેલાતી જાય છે. શુદ્ધ બિયારણના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org