SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ માટે એક નિશાળ હતી, જ્યાં મફત વિદ્યાદાન મળતું. વિદ્વાન બ્રાહ્મણે એ વિદ્યામંદિર ચલાવતા અને વિધાથીઓને તેમની ગ્યતા પ્રમાણે, દરેક વિષયનું જ્ઞાન આપતા. તેમાં ધાર્મિક ઉપરાંત ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, વેપારવણજ, યુદ્ધવિદ્યા, જ્યોતિષ, શિલ્પ વગેરે અનેક વિષયે. શીખવતા. વિદ્વાન બ્રાહ્મણની આ વિદ્યાપીઠો માટે ક્ષત્રિય અને વૈ પાસેથી. દાનને પ્રવાહ ચાલ્યા આવતે, પણ ક્ષત્રિય ઉપર વધથી પિદા થયેલું. વિષચક્ર ફરી વળ્યું, વૈશ્યવર્ગ જેણે અંગ્રેજોને વેપારમાં સામને કર્યો હતે તેને અંગ્રેજોએ કાવાદાવા અને સત્તાના જોરે ગુંગળાવી નાખે અને પિતાની કઠપૂતળી બની રહે એવી નવી આસામીઓ તૈયાર કરી. એટલે બ્રાહ્મણની વિદ્યાપીઠ તરફ વહેતે દાનને પુરવઠે કપાઈ ગયે. દેશમાં બેકારીનાં પૂર ચારે દિશામાં ફેલાતાં હતાં. ભારતીય ધરણે. ચાલતા ઉદ્યોગો બંધ પડતા જતા હતા. નવા ધંધા મળવાની કઈ શક્યતા હતી નહિ, પણ અંગ્રેજોએ પિતાને વહીવટ ભારતીયો દ્વારા ચલાવવા નિર્ણય કર્યો; કારણ કે તેમની પાસે માનવશક્તિની ખેંચ હતી અને ઈલેંડથી લાખે માણસને અહીં લાવવામાં ભારે ખરચ વેઠવું પડે તેમ હતું, જ્યારે અહીં બેકાર બનેલા લાખે હિંદીઓ ટૂંકામાં ટૂંકા પગારે પણ નોકરી કરવા તૈયાર હતા બીજો વિકલ્પ ન રહેવા દીધે. સરકારે બ્રાહ્મણે દ્વારા ચાલતી તમામ નિશાળે અમાન્ય કરી. પિતે નવી નિશાળ શરૂ કરી; જ્યાં અંગ્રેજી ભાષાનું શિક્ષણ લેનારાને. સરકારી નેકરી મળવા લાગી. એટલે ગણતરીના સમયમાં જ બ્રાહ્મણની તમામ નિશાળે બંધ પડી ગઈ. સમગ્ર કેમ સામે બેકારી અને ગરીબીનું, તાંડવ આવી પડયું. બ્રાહ્મણ કામ માટે નવા ધંધાને અવકાશ ન હતે. તેમને નોકરી પણ મળે તેમ ન હતી. ગૌરવથી અયાચક જીવન જીવીને વિદ્યાનો પ્રવાહ રેલાવતી બ્રાહ્મણ કેમને જીવવું હોય તે ભિક્ષા માગવા સિવાય બીજે રસ્તે રહ્યો નહિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy