SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ , અંદલી અને માતાઓએ ખેરાકમાં સ્વેચ્છાચાર આદર્યો, ત્યારથી બાળકે જન્મથી જ ડાયાબીટીશ, કમળ, કિડની, હાર્ટ વગેરેનાં દરદ લઈને જન્મે છે. અથવા ઘણી નાની વયમાં જ તેવા રેગેના ભેગ બની જાય છે. અનુચિત ખાનપાન દ્વારા માતાઓ બાળકને અજ્ઞાતપણે ગર્ભમાંથી જ જન્મભર સહેવા પડે તેવા ગે આપતી હોય છે. અને જમ્યા પછી પિતાના ધાવણ દ્વારા માંદા પાડે છે. . બાળક ખાતાં શીખે ત્યારે પણ અજાણપણે જમાનાવાદમાં તણાઈને કે દાક્તરી સલાહથી અથવા પ્રોટીન અને વિટામિનના પ્રચારથી ભેળવાઈ જઈને અખાદ્ય પદાર્થોવાળો વિવિધ રાક ખવડાવે છે. આવા ખેરાકની અસર બાળકના સ્વાસ્થ ઉપર થાય છે જ. - શરીરમાં આવા ખેરાક દ્વારા ડાયાબીટીસ, કૃમિ, દાંતનાં દરદો, મંદાગ્નિ, રીકેટ વગેરે જેને શિલારોપણવિધિ થઈ જાય છે.. ખોરાકની મન ઉપરની વિકૃત અસર ઉપરાંત આવા ખેરાથી શરીરમાં પેદા થતા કૃમિ પણ ઘણી વખત મહાભયાનક વિકૃતિ પેદા કરે છે. આજે આપણે અનુભવ છે કે દરદીઓની ચિકિત્સા દરમિયાન મોટાભાગના દરદીઓનાં પેટમાં કૃમિ દેખાય છે. આ કૃમિએ, ગેસ, મંદાગ્નિથી કરીને ગાંડપણ સુધીના અનેક રોગો પેદા કરે છે. અનનુકરણીય રિવાજ - પરદેશી રીતભાતનું અનુકરણ કરીને આપણા સમાજમાં સગાંસંબંધીનાં બાળકને, પાડોશીઓનાં બાળકોને કે રસ્તે રમતાં બાળકને પણ છૂટથી પિપરમીટ ચોકલેટ આપવાને રિવાજ ખૂબ જ પ્રસર્યો છે. પિપરમીટ ચોકલેટની છૂટથી વહેંચણી કરનાર આમ તે નિર્દોષભાવે બાળકે પ્રત્યેને પિતાને પ્રેમ પ્રદર્શિત કરતા હોય છે પણ વાસ્તવમાં તે અજાણપણે આ બાળકોના શરીરમાં ડાયાબીટીસ, કૃમિ અને દંતોની શિલારોપણવિધિ જ કરતા હોય છે. અભક્ષ્ય ભક્ષ્ય તેમજ આવાં નુકસાનકારક પદાર્થોની શારીરિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy