SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાંક એવાં દર્દો પણ છે. જેમાં તેને ઉપયોગ અનિવાર્ય છે. એવા પ્રસંગેએ એના ઉપયોગ પછી ચિત્તશુદ્ધિ માટે ધર્મએ ઉપાયો દર્શાવ્યા છે. એ જ રીતે કાંદાના ઉપયોગ માટે પણ લેકમાં એવી માન્યતા છે કે કાંદા તે ગરીબની કસ્તુરી છે. આવી દલીલ કરનારા એ વાત ભૂલી -જાય છે કે શ્રીમતે કસ્તૂરી જ નથી ખાતા, ઔષધ તરીકે કઈ જ વાર તેને ઉપયોગ કરતા હોય છે. કાંદાના વિકલ્પ તરીકે બીજી ઘણું ભક્ષ્ય ઔષધિઓ છે જ. ઘણું જૈન અને વૈષ્ણવ લેકે એવાં છે જે જિંદગીમાં કદી પણ લસણ કે કાંદા દવા તરીકે પણ લેતાં નથી. છતાં તેમનું જીવન કદી આ બે વસ્તુઓ ન લેવાથી જોખમાયું હોય તેમ આપણે જાણતા નથી. પુષ્ટિ સંપ્રદાયમાં કાંદાનો નિષેધ કાંદાના રાકથી મનની આસપાસ એક એવું વિકૃત આવરણ - બંધાય છે. જે મનની પવિત્રતાને નાશ કરી નાખે છે. | પુષ્ટિ સંપ્રદાયમાં જે કાંદા ખાધા હોય તે ૨૧ દિવસ સુધી મંદિરમાં દર્શન કરવા જવાની મનાઈ ફરમાવી છે. ' કારણ કે કાંદા ખાધા પછી મંદિરે દર્શને જવાથી આંખો ભગ-વાનની મૂતિ' ઉપર સ્થિર ન થતાં તે આસપાસનાં દશ્ય તરફ વળે છે અને માનસિક પાપ કરી બેસે છે. એટલે મંદિરમાં જઈને મન પરમાત્મામાં સ્થિર કરવાને બદલે માનસિક પાપ કરી બેસવું તેના કરતાં બહેતર છે કે મંદિરમાં દર્શન કરવા જ ન જવું જેથી પાપમાંથી તે બચી જવાય! પુષ્ટિ સંપ્રદાયમાં કાંદા ખાવાના નિષેધનું બીજું કારણ એ છે કે દૂધ અને કાંદા એ વિરોધી પદાર્થો છે. જ્યારે પુષ્ટિ સંપ્રદાય શરૂ થયું ત્યારે ભારતમાં ઘી-દૂધની છોળે ઊડતી. પિષણ માટે દૂધથી વધુ ફાયદાકારક કઈ પદાર્થ કે કોઈ ઔષધિ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy