________________
૧૬૧ શ્રી નિજલિંગપ્પા કેસપ્રમુખ હતા ત્યારે મુંબઈમાં વિશ્વ શાકાહારી-પરિષદનું ઉદ્દઘાટન કરીને ત્યાંથી સીધા એરોપ્લેનમાં બેસીને કેરલ ગયા હતા અને ભારતની કદાચ સૌથી મોટી ફિશરી (મસ્ય ઉદ્યોગ)ની ઉદ્દઘાટન-વિધિ કરીને આવ્યા હતા, કારણ કે તે ઉદ્યોગ હતે.
તે જ પ્રમાણે હવે ગાંધીમાર્ગે ચાલવાના કેન્દ્રના પિતાના નિશ્ચયની જાહેરાત કર્યા કરનારા પ્રધાને પણ કોઈ ખાદી-પ્રદર્શનનું ઉદ્ઘાટન કરીને લેકેને “ગાંધીચીયે માર્ગે અહિંસક રહીને દેશને આબાદ બનાવવાની સલાહ આપતું ભાષણ કરીને ત્યાંથી સીધા જ કેઈ દેવનાર કક્ષાના અદ્યતન માંસ-ઉદ્યોગની ફેકટરીનું ઉદ્દઘાટન કરવા દોડી જાય તે લેકે નવાઈ નહિ પામે, કારણ કે કતલખાનું હવે માંસ-ઉદ્યોગને ખિતાબ મેળવીને ગંગાજળ જેવું પવિત્ર બની ગયું છે!
ફાઓના અધિકારી બેલ્યા, એટલે દેવ બેલ્યા - માંસ-ઉદ્યોગ બન્યા પછી દારૂબંધીને પ્રશ્ન પણ કદાચ ઉકેલાઈ જશે. અત્યારે પ્રધાનમંડળે અને પ્રજા દારૂબંધીના પ્રકને બે ભાગમાં વહેંચાઈ ગયા છે. . A. ૦.ને કોઈ અધિકારી અહીં આવીને કહે કે,
દારૂ-ઉદ્યોગ વિકસતા દેશ માટે આવકનું અને અર્થતંત્રને સ્થિર કરવાનું અમેઘ શસ્ત્ર છે,” તે દારૂબંધીના વિવાદને પણ અંત આવી જાય .A.0. જેવી સંસ્થા સલાહ આપે અને દારૂ-ઉદ્યોગ માટે વિશ્વબેંક લેન આપે તે પછી દારૂબંધીને ઝઘડો જ નહિ રહે! .
શું સરકાર મટકાને પણ ઉદ્યોગ ગણશે? મટકાના રાજા રતન ખત્રી હજી રાજા કહેવાય છે. ઉદ્યોગપતિ તરીકે હજી એની ગણના નથી થઈ, પણ કેઈ શુભ ચોઘડિયે મટકાને
મટકા-ઉદ્યોગ તરીકે જાહેર કરે. એમાં કેટલા હજાર લેકોને રેજી મળે છે અને રોજ કેટલા લાખ રૂપિયાની ઊથલપાથલ થાય છે એ જાહેર કરે અને સરકાર પાસે દરખાસ્ત મૂકે કે, “મટકાને મટકા-ઉદ્યોગ તરીકે
સ્વીકૃતિ આપવી જોઈએ, જેથી સરકારને તેમાંથી કરોડની આવક થાય - ભા.-૨ ૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org