________________
૧૪૭
એ વારસે ચાલુ રાખે સ્વરાજ્ય મળ્યા પછી આપણે એ સ્થિતિ ઉલટાવી શક્યા હોત, પણ ભારત સરકારે અંગ્રેજોને એ શોષણને અને હિંસાને વારસો જાળવી રાખીને પશુઓની કતલ અને ઊનની આયાત વરસે વરસ વધારે કરવાનું ચાલુ રાખ્યું. પરિણામે ૧૯૭૧-૭રમાં આપણે ૧૪ કરોડ રૂપિયાનું ઊન આયાત કર્યું. (India 1974, Page 237).
ઘેટાં-બકરાં જ વનવિસ્તાર વધારી શકે જંગલ તેમ જ ખેતી નીચેની જમીનના દરેક ભાગને ખાતર રૂપી પિષણની જરૂર છે. જંગલની જમીનને પણ એ ખાતર દ્વારા પિષણ ન મળે તે તે નબળી-રસકસ વગરની બને છે. પરિણામે જંગલની પેિદાશે અને એ પેદાશેની ગુણવત્તા ઓછી થતી જાય છે, જેની સીધી વિપરિત અસર આર્થિક ક્ષેત્રે અને લોકોના સ્વાસ્ય ઉપર પડે છે.
જંગલમાં ખાતર પાથરવું એ આપણા માટે અશક્ય છે. એ તે ત્યાં ચરવા ફરતી ઘેટાં અને બકરાં જ કરી શકે અને જંગલની ફળકુપતા જાળવી શકે. * એટલું જ નહિ, તેઓ જંગલમાં જે ફળ-ફૂલ અને પાન ખાય છે તેમાંથી ફળનાં બીજ તેમના પેટમાંથી તેમની લીડી દ્વારા પાછાં બહાર આવી જંગલમાં પથરાય છે અને તેમાંથી નવાં વૃક્ષો ઊગી નીકળે છે. મનુષ્યથી વનવિસ્તારનું કાર્ય થઈ શકે નહિ, એ માત્ર પશુઓ જ કરી શકે. મનુષ્ય તે વૃક્ષે જ વાવી શકે; વન કદાપિ નહિ. - ઉપરની તમામ બાબતે વિચાર કરીએ તે કતલખાનાં શરૂ કરીને માંસની નિકાસ દ્વારા હુંડિયામણ મેળવવાની વૈજના નૈતિક વારિક કે આર્થિક કસોટી પર ક્ષણ વાર પણ ટકી શકે તેમ નથી.
આ દલીલ વાહિયાત છે આ લોકોને ચેમ્બે માંસ પૂરું પાડવાની દલીલ એ માત્ર આત્મવાના છે. તેને પાણી સહિત દરેકેદરેક ચીજ ભેળસેળવાળી લેવી છે છે, ત્યારે રેખું માંસ પૂરું પાડવા કતલખાના વધારીને દરેક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org