SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ યતિથિ. પૂ. મહાત્માજી ચેતી ગયા અને આમરણ ઉપવાસ ઉપર ઊતરી આપણને બચાવી લીધા. છતાં તેઓ પણ અંગ્રેજોએ પેરેલા આભડછેટના નારાના પ્રચારમાં અટવાઈ ગયા. અને તેથી તેમની એવી દુઃખદ સ્થિતિમાં મૂળ કારણે તે આભડછેટના પ્રચાર તળે દટાએલાં જ રહ્યાં. પરિણામે જે કોઈ પગલાં લેવાયાં તેનાથી હરિજનેની અમુક વ્યક્તિઓને જરૂર થેડે આર્થિક લાભ થયે, પણ સમસ્ત કેમ તે . વધતી જતી મોંઘવારી અને બેકારીમાં વધુ ને વધુ દબાતી ગઈ છે. જે હરિજને આર્થિક રીતે ઉપર આવ્યા તેઓ પિતે જ તેમના ભાંડુઓ પાસે જતા હોય કે તેમના પ્રશ્નો વિચારતા હોય એવું જણાતું નથી. તેઓ માત્ર ચૂંટણીઓ વખતે મત મેળવવા જતા જશે. અલગતા અને અનામતનું ચક આપણે તેમને મકાને બાંધવા લેને આપીએ, ભણવા માટે કેલરશીપ આપીએ, પણ આ લાભ મેળવનારાઓની સંખ્યા માત્ર હજારના આંકડામાં જ સમાઈ જાય છે અને ગુણવત્તાને બદલે જ્ઞાતિવાદને પ્રાધાન્ય આપવાથી જે જે ક્ષેત્રમાં આવું બને છે તે ક્ષેત્રેની કાર્યક્ષમતા નીચે પડે છે પણ ઉપર-લખી સવલતે કાંઈ ૧૨ કરોડ લકોને આપી શકાય નહિ. તેમને તમામને આપણે નેકરી પણ આપી શકતા નથી. જે કાંઈ થેડીઘણી અનામત કરી તેમને માટે રાખીએ છીએ તેટલી સંખ્યાના સવર્ણ બેકાર રહે છે. કરી એ બેકારી ટાળવાને ઈલાજ નથી, બેકારી ટાળવા માટે તે ધ જ આપવું જોઈએ. અનામત નેકરી કે વિધાનસભા અને લોકસભામાં અનામત બેઠકોને નિર્ણય લઈને આપણે આપણા અલગતાના માનસનું પ્રદર્શન જ કર્યું છે. બેકારીને ઉપાય-નેકરી નહિ, પણ ધ. આ એક નક્કર હકીકત છે કે આ ૧૨ કરોડને આપણે કરી કે મજૂરી આપી નથી. તેમને માત્ર બે જ આપી શકાય. અને તે છે તે તેમના વારસાગત ઉદ્યોગે, ચર્મઉદ્યોગ અને હાથશાળ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy