SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ પુરવઠાનળ જેથી ઉપચાગિતા લશ્કરમાં ત્રણ વિભાગો હાય છે. ભૂમિદળ, હવાઈદળ, નૌકાદળ. ચાથા વિભાગ છે, પુરવઠાદળ. આ પુરવઠાદળ પેલાં ત્રણે દળા જેટલું જ, કદાચ તેથી પણ વધારે ઉપયોગી છે. કારણ કે તે નહાય તે બાકીનાં ત્રણે દળ કાર્ય કરવાને અશક્ત બની જાય. મા પુરવઠાદળમાં પણ અનેક વિભાગે। હાવા જરૂરી છે; અને તેમાં કોઈ વિભાગ બીજા વિભાગથી જરાય ઓછે મહત્ત્વના નથી. તે જ પ્રમાણે શુદ્ર વર્ણ એ બાકીના ત્રણ વર્ણને પુરવઠો પાડનારા વિભાગ છે. અને તેમાં પાછા અનેક પેટાવિભાગે છે. જેમાં હરિજન એ પણ એક વિભાગ છે અને તે સહુથી ઉપયોગી પાયાના વિભાગ છે. જે યુરોપીઅન અને મધ્ય એશિયાના દેશો ગુલામે રાખતા, તેનાં બજારા ભરતા અને તેમના વેપાર કરતા તેવી કોઈ પ્રથા ભારતમાં ન હતી. તમામ કારીગરવર્ગ શૂદ્રના વિભાગમાં આવતા, તેમાં નિયમિત વળતર પણ મળતું, અને તે તમામ માનવ-અધિકારો પણ ભાગવતા. હરિજનાની વર્તમાન સ્થિતિ માટે અગ્રેજો જવાખદાર આ દેશમાં ખ્રિસ્તીધર્મના ફેલાવા કરવા માટે આપણી સમાજવ્યવસ્થા તાડવાનું જરૂરી હતું. લાંબા ગાળાની યાજનાઓના એક ભાગ રૂપે હાલની કેળવણીનું માળખું ઘડવામાં આવ્યું. 8 ગોવધની નીતિને અમલમાં મૂકીને ચામડું કેળવવાના એક અગત્યના અને નફાકારક ધંધામાં રાકાયેલી વિશાળ હરિજન કામને, કાપી નાખેલી ગાયાનાં તમામ ચામડાં પરદેશ નિકાસ કરીને એકસાથે એકાર બનાવીને ગરીમીમાં હડસેલી દીધી! તે જ પ્રમાણે દેશની જીવાદોરી સમા કાપડ ઉદ્યોગ કે જેમાં હરિજન કામના એક મોટા ભાગ હાથશાળ ઉપર સ્વતંત્રપણે કાપડ ઉત્પન્ન કરીને પોતાની રાજી મેળવતા અને દેશની સમૃદ્ધિ વધારતા, તે હાથશાળના ઉદ્યોગ પેાતાની સત્તાના મળે સંપૂર્ણપણે ભાંગીને હરિજન કામના એક ખીજા વિશાળ વર્ગને બેકારી અને ગરીબીમાં ધકેલી દેવામાં આવ્યા. - ભા. ૨−૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy