SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાના હાથે પિતાને નાશ અંગ્રેજો તે આ દેશમાંથી ઉચાળા ભરી ગયા પણ તે પહેલાં યુનિવર્સિટીના શિક્ષણ દ્વારા હજારે દેશી અંગ્રેજે તેમણે તૈયાર કરી દીધા હતા. આ દેશની ધરતીને કાયમી કબજે કરવા આ એક જ ઉપાય હતો કે “દેશની પ્રજાને બધી રીતે બરબાદ કરી નાંખવી. આ માટે તેની સંસ્કૃતિને સર્વનાશ કરો.” આ કાય પરદેશીઓ કરવા જાય તે પ્રજા વીફરે અને બળ કરી બેસે એટલે દેશના જ લેકેના હાથે આ સર્વનાશને કાર્યક્રમ અમલી બનાવવાનું અનિવાર્ય હતું. એ માટે જ દેશી અંગ્રેજોને તૈયાર કરવામાં આવ્યા. આજે તે એ ડીગ્રીધારી, પશ્ચિમપરસ્ત દેશી અંગ્રેજોની સંખ્યા લાખ સુધી પહોંચી ગઈ છે. આ દેશી અંગ્રેજોએ જાણે કે અજાણે એમને મળેલા શૈક્ષણિક પશ્ચિમી વારસાને કારણે સંસ્કૃતિનાં તમામ ક્ષેત્રના મૂળમાં ઘા મારી દીધા છે. મેક્ષલક્ષી સંસ્કૃતિના વૃક્ષનાં તમામ અંગેને હચમચાવી નાંખ્યાં છે. આ શિક્ષિતોને શિક્ષિત કહેવા કે કેમ? એ પણ એક સવાલ થઈ પડે તેવી તેમની પશ્ચિમ–પરત નીતિરીતિએ જેવા મળે છે. શ્રી વેણીશંકર મુરારજી વાસુ આ વિષયમાં સારી એવી જાણકારી ધરાવે છે. તેમને પ્રત્યેક વિચાર જુદા જુદા વિષય ઉપર વેધક પ્રકાશ ફેકે છે દાખલા, દલીલે અને આંકડાઓ એ દરેક લેખ પાછળનું એમનું બળ છે. બેશક આ લેખે સર્વથા આધ્યાત્મિક ભૂમિકા પર નથી પરંતુ આધ્યાત્મિક જીવન જીવવાને જન્મસિદ્ધ હક્ક ધરાવતી આર્યાવર્તની મહાપ્રજાના સર્વનાશને ઘાતકી અને ભેદી શસ્ત્રો તે ખુલ્લાં પાડે છે. અને એ રીતે આર્ય મહાપ્રજાની મહાસંતો-દીધી ધમપ્રધાન ચાર પુરુષાર્થની સંસ્કૃતિની પુનસ્થાપના કરીને મહાપ્રજાના આધ્યાત્મિક સ્તરને મજબૂત કરવાના પ્રયત્નમાં આ લેખે પિતાને વિશિષ્ટ ફળે નોંધાવે છે. | શ્રી વાસુ જણાવે છે કે સાંસ્કૃતિક તને પશ્ચિમ–પરસ્ત ભેદી અને અણુધડ નીતિરીતિના હાલના વેગથી પણ નષ્ટ કરવાનું ચાલુ રાખવાનું આવશે તે ભારતીય પ્રજાનું આયુષ્ય કદાચ એ–બસો વર્ષથી ઝાઝું નહિ હોય! - શ્રી વાસુની વિચારધારા ભારતીય પ્રજા સુધી પહોંચે તે તેમના મગજમાં પરદેશી એજન્ટોએ જે. બેટા ખ્યાલે ભરી દીધા છે–જેના દ્વારા પ્રજાના તમામ જીવન સ્તરે હચમચી ઊડ્યા છે-તે બધા જળમૂળથી ઉખડી જાય. અબજો રૂ ને વ્યય અધેર હિંસા અને વ્યાપક દુરાચારને પોષતી તમામ પ્રગતિવાદી વિચારસરણીએને જોરદાર લપડાકે ભારતી શ્રી વાસુની વિચારણા અલ્પતમ ધનવ્યય, અહિંસક પ્રણાલિ અને વિશુદ્ધ સદાચારના નિર્માણની બહુમુખી જનાથી ખીચોખીચ ભરેલી હેય તેમ દેખાય છે. જેના દ્વારા આત્મા મોક્ષભાવ તરફ ચોક્કસપણે આગળ વધે તે વિચાર ઃ તે પ્રચાર કે તે અચારને જ મારું અનુમોદન હેય તે સહજ છે. શ્રી શ્રીપાળનગર વાલકેશ્વર, મુંબઈ- ૬ ગુરુપાદપદ્યરે વિ. સં. ૨૦૩૩ દશેરા , પં. શ્રીચન્દ્રશેખરવિજ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy