________________
સારા બળદની ખેંચને કારણે જ સારા બળદ મેળવી લેવાની હરીફાઈમાં વાછડે ત્રણ મહિનાનું થાય ત્યાં જ તે ખરીદી લેવા વાડીવાળા ખેડૂતની પડાપડી થવા લાગી. તેઓ એમ માને કે આપણી વાડી છે તેમાં લીલે ચારે ખવડાવીને વાછડાને ઉછેરીશું. '
પણ જે વાછડાને માનું દૂધ ૨૫૦ થી ૩૦૦ દિવસ મળવું જોઈએ, તેને ૧૦૦ દિવસમાં જ માતાથી છૂટા પાડવાથી તેને ગમે તેટલું સારું ખવડાવે તે પણ ક્રમે ક્રમે તે કદમાં અને શક્તિમાં ઘસાતે જાય છે.
ગામે ગામ ચરિયાણની ઉત્તમ પ્રથા જ્યાં સુધી દરેક ગામે ચરિયાણ રાખવાની પ્રથા હતી ત્યાં સુધી . દરેક ઘરે ગાય રાખી શકાતી. ગામમાં ગાયે હતી ત્યાં સુધી ગોગ્રાસ આપવાની પણ પ્રથા હતી. હિંદુઓમાં ગેગ્રાસ આપવાની પ્રથાને ધાર્મિક બંધન ગણવામાં આવેલ છે. જેથી ગરીબ કુટુંબની ગાયને પણ જરૂર પૂરતે દાણે મળી શકે.
દૂધના વેપારથી પશુધન નબળું પડતું ગયું ચરિયાને નાશ કરવાની નીતિએ ઘરઘરમાં ગાય રાખવાની પ્રથાને નાશ કર્યો. પરિણામે ગાય અને ગાયના દૂધને વેપાર શરૂ થયે. ગાયના દૂધને વેપાર શરૂ થતાં તેનાં વાછડાંઓને પેટ પૂરતું ધવડાવવાનું બંધ થયું. તેથી પેઢી દર પેઢી ગાય, બળદ અને ધણખુંટ નબળા પડતાં ગયાં. - જેમ શ્રી ગોવર્ધનરામે ગાયું છે કે, “પડવા માંડેલી પાડી પાછી ટકી ન, હર શીરે.” તેમ દૂધને વેપાર શરૂ થતાં વાછડાં નબળાં પડ્યાં.
નબળા ધણખુંટ વડે નબળી ગાયનું પ્રજનન થવા લાગ્યું એટલે વળી એ વધુ નબળાં થયાં.
તેમાંથી ઉદ્યોગના રૂપાળા નામ નીચે ડેરીઓ શરૂ થઈ. એટલે ગાયનું અને વાછડાનું વધુ શેષણ થવાની શરૂઆત થઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org